ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં ફક્ત 15 કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 2 જિલ્લા કોરોનાના નવા કેસ, મૃત્યુ એક

author img

By

Published : Aug 21, 2021, 10:57 PM IST

Updated : Aug 21, 2021, 11:07 PM IST

News of vaccinations
News of vaccinations

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે.

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 16 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં-4, વડોદરા- 5, સુરત- 3, ભાવનગર- 1 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 16 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં અને 2 જિલ્લા આણંદ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 7 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 3,97,524 રસીકરણ થયું, રક્ષાબંધનના દિવસે વેક્સિનેશન બંધ

રાજ્યમાં આજે 21 ઓગષ્ટના રોજ 3,97,524 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,26,66,652 થઈ છે. આજે શનિવારે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 2,15,908 નાગરિકને પ્રથમ ડોઝ અને 49,001 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજયમાં આજ સુધીમાં 4.26 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 184 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 179 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,079 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,024 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

Last Updated :Aug 21, 2021, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.