ETV Bharat / city

Demand To Cancel Vibrant Gujarat Summit 2022 : વસાહત મંડળે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આવેદનપત્ર પાઠવ્યું

author img

By

Published : Dec 8, 2021, 7:27 PM IST

Demand To Cancel Vibrant Gujarat Summit 2022 : વસાહત મંડળે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આવેદનપત્ર પાઠવ્યું
Demand To Cancel Vibrant Gujarat Summit 2022 : વસાહત મંડળે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આવેદનપત્ર પાઠવ્યું

સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોને (Omicron Variant) પગપેસારો કરી દીધો છે, ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં (Omicron First Case in Jamnagar) નોંધાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ પણ ધમધોકાર ચાલી રહી છે. તેને ધ્યાનમાં લઈને આજે ગાંધીનગર વસાહત મંડળ (Gandhinagar Vasahat Mandal Demand) દ્વારા ગાંધીનગર કલેકટર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ અને સી.આર.પાટીલને આવેદનપત્ર (Online Memorandum to PM Modi and HM Amit Shah) પાઠવીને વાઇબ્રન્ટ ગુજરાત રદ કરવાની માગ (Demand To Cancel Vibrant Gujarat Summit 2022 ) કરવામાં આવી છે.

  • વાઇબ્રન્ટ મહોત્સવ બાબતે મોટા સમાચાર
  • ગાંધીનગર વસાહત મંડળે વાઇબ્રન્ટ રદ કરવા આપ્યું આવેદનપત્ર
  • કલેકટર, પીએમઓ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આવેદનપત્ર આપ્યું
  • ગાંધીનગરમાં વિદેશી આવશે તો નવા વેરિયન્ટનો ડર

ગાંધીનગર : મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં અનેક દેશોના પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવીને સમિટમાં હાજરી આપશે. ત્યારે વિદેશથી આવનારા લોકો મારફતે ગાંધીનગર અને ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron Variant ) વધુ પ્રસરે તેવી બીકના કારણે ગાંધીનગર વસાહત મંડળ (Online Memorandum to PM Modi and HM Amit Shah) દ્વારા વડાપ્રધાન અને ગૃહપ્રધાનને આવેદનપત્ર પાઠવીને રદ કરવા માગ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટ કે જે જાન્યુઆરી વર્ષ 2022માં યોજવાની છે તેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવી છે તેને આ વર્ષ પૂરતી સ્થગિત કરી દેવામાં આવે તે તેવી માગ (Demand To Cancel Vibrant Gujarat Summit 2022) ગાંધીનગર રહેવાસીઓ તરફથી વસાહત મંડળ (Gandhinagar Vasahat Mandal Demand) કરવામાં આવી છે.

વિદેશોમાંથી આવતાં લોકોથી ગાંધીનગરવાસીઓને ઓમિક્રોનનો ભય

ડેલિગેશનને ફરજિયાત આઇસોલેશનમાં રહેવા સૂચના

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના જે નવા નિયમો છે તે નિયમ પ્રમાણે વિદેશથી આવનારા તમામ લોકોએ સાત દિવસ સુધી ફરજિયાત isolation માં રહેવું પડશે. આ ઉપરાંત સાત દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અને જો પોઝિટિવ આવશે તો ફરીથી સારવાર અથવા તો isolation હેઠળ રહેવું ફરજિયાત છે. આમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જે પણ ડેલિગેશન આવશે તેઓએ ફરજિયાત સાત દિવસ isolation હેઠળ (Foreign Delegation Isolation) રહેવું પડશે.

આ પણ વાંચોઃ Corona positive Gandhinagar: કલોલમાં ત્રણ લોકો કોરોના સંક્રમિત, ઓમિક્રોન વેરીયન્ટની શક્યતા

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022 on risk: ઓમિક્રોન વેરિયન્ટના પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.