Omicron Case Review Meeting : રાજ્યમાં આવી ગયો ઓમિક્રોન કેસ, હજુ 34 લાખ લોકો વેકસીનમાં બાકી હોવાની ચિંતા

author img

By

Published : Dec 4, 2021, 7:01 PM IST

Omicron Case Review Meeting : રાજ્યમાં આવી ગયો ઓમિક્રોન કેસ, હજુ 34 લાખ લોકો વેકસીનમાં બાકી હોવાની ચિંતા

ગુજરાત રાજ્યમાં જે વાતની બીક હતી તે જ હવે થઈ રહ્યું છે જામનગરમાં પ્રથમ કોરોના વેરિએન્ટ એમીક્રોન વાઇરસનો (First case of omicron in jamnagar) કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ આરોગ્ય વિભાગ સાથે બેઠક (Omicron Case Review Meeting) યોજીને રાજ્યમાં રસીકરણની (Vaccination) કામગીરી સર્વેલન્સ ટ્રેકિંગ અને ટેસ્ટિંગની કામગીરી વધુ ઝડપી બનાવવાની સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જે વ્યક્તિને નવા વેરિએન્ટથી (Omicron variant of covid-19) સંક્રમિત થયા છે તેના સંપર્કમાં આવેલા 90 લોકોને પણ isolate કરીને ટ્રેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે.

  • રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી
  • જામનગરનો યુવાન નવા વેરિયન્ટથી સંક્રમિત
  • જામનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ
  • રાજ્યમાં હજુ 35 લાખ લોકોએ નથી લીધી વેકસીન

ગાંધીનગર : ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને (First case of omicron in jamnagar) પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ (Omicron variant of covid-19) સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં (Omicron Case Review Meeting) સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતાં. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા ઓમિક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો (New guideline of omicron variant of covid-19) રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી, ઉપરાત સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહીં કરવા તાકીદ કરી હતી. જ્યારે ગુજરાતમાં 3-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં પ્રથમ ઓમિક્રોન કેસ બાદ સરકારે બેઠક યોજી

રાજ્યમાં હજુ 35 લાખ લોકો રસીકરણમાં બાકી

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક (Omicron Case Review Meeting) કર્યા બાદ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર એ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હજુ 35 લાખથી વધુ લોકો રસીકરણના પ્રથમ ડોઝ (Corona Vaccination) લીધો નથી તેથી વહેલી તકે રસીકરણ પ્રથમ ડોઝ લઈ લેવો આ ઉપરાંત જે લોકોએ બીજો ડોઝ ડયુ થઈ ગયો હોય તેવા લોકોએ પણ રસીનો બીજો (Second Dose Of Vaccine) લઇ લેવાની અપીલ કરી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્ગથી ગુજરાત એરપોર્ટ ઉપર આવતા મુસાફરો માટે ભારત સરકારની જે પ્રકારની guideline છે એનો પણ આપ ચુસ્ત રીતે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

બેઠકમાં કોણ રહ્યું હાજર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant of covid-19) સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે. આ બેઠકમાં (Omicron Case Review Meeting) મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચોઃ Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ

આ પણ વાંચોઃ Omicron Variant ડેલ્ટા કરતાં વધુ ચેપી હશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.