કોરોનામાં મૃત્યું પામેલા લોકો માટે સહાયનું નોટિફિકેશન જાહેર: કોને અને કેવી રીતે મળશે સહાય જાણો તે બાબતે...

author img

By

Published : Nov 21, 2021, 11:51 AM IST

કોરોનામાં મૃત્યું પામેલા લોકો માટે સહાયનું નોટિફિકેશન જાહેર: કોને અને કેવી રીતે મળશે સહાય જાણો તે બાબતે...

રાજ્યના મહેસૂલ વિભાગ(State Revenue Department) દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ(Guidelines) પ્રમાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫(Disaster Management Act 2006) અંતર્ગત કોરોના(Corona)ના કારણે મૃત્યુ પામેલા વ્યકિતના વારસદારને સહાય(Assistance to the deceased) આપવાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે જે માર્ગદર્શિકા ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને 50,000ની સહાય ચુકવવાની જાહેરાત(Announcement of payment of assistance of Rs. 50,000) કરવામાં આવી હતી તે બાબતે તેની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

  • રાજ્ય સરકારે કોરોના સહાય બાબતે જાહેર કરી ગાઈડલાઇન્સ
  • સહાય માટે સ્વજનો દ્વારા કરવામાં આવશે અરજી
  • જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે તમામ કામગીરી
  • કોરોનામાં મૃત્યુ થયેલા પરિવારજનોને 50,000 ની સહાય

ગાંધીનગર: કોરોનામાં મૃત્યુ(Death in Corona) થયેલા લોકોને આર્થિક સહાય આપવા બાબતે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં જાહેર હિતની અરજી થઈ હતી અને સુપ્રીમ કોર્ટે સહાય આપવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર(State Government and Central Government)ને સૂચન કર્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભામાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સરકારે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય ચુકવણીની જાહેરાત કરવામાં આવી(Announcement of payment of assistance of Rs. 50,000) હતી ત્યારે આજે સહાય મેળવવાની કામગીરી કઈ રીતે કરાશે તે બાબતની રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી(guideline was issued by the state government) છે.

કઇ રીતે કરી શકાશે અરજી

સૌપ્રથમ મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોએ જિલ્લા કલેકટર ઓફિસ પરથી એક અરજી લેવાની રહેશે અને તેમાં મૃતકનું નામ, ઉંમર, જાતિ, મૃતકનો ધંધો, સરનામું, આધારકાર્ડ, કોરોના રિપોર્ટ તથા મૃત્યુ પામ્યાની તારીખ આ તમામ વિગત લખવાની રહેશે સાથે જ મૃતકના વારસદારના નામ સરનામાંની વિગત અને જો સહાયની રકમ કોઈ એક વારસદારના નામે લેવાની હોય તો અન્ય વારસદારોની સંમતિ સાથે એફિડેવિટ પણ રજુ કરવાનું રહેશે જ્યારે કયા ખાતામાં સહાયની રકમ મેળવવાની રહેશે તે બેંક ખાતાનું નામ અને બેન્કની વિગતો પણ અરજીમાં જોડવાની રહેશે.

પ્રથમ કેસ નોંધાયો ત્યારથી સહાય લાગુ

રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે 50,000 રૂપિયા દરેક મૃત્યુ પામેલા વ્યક્તિના કિસ્સામાં કે જેમાં રાહત કાર્યો અને પૂર્વ તૈયારીઓ સાથે સંકળાયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વ્યક્તિનું મૃત્યુ કોરોનાથી થયું છે તેવું પ્રમાણિત થયેલું હોવું જોઈએ. જ્યારે 11 સપ્ટેમ્બર 2021થી NDMAની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે મુજબ આ સહાયનો ખર્ચો માત્ર એસડીઆરએફ માંથી કરવાનો રહેશે અને આ સહાય દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લાગુ પડશે અને કોરોનાની ડિઝાસ્ટર તરીકે નાબૂદ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી અથવા અન્ય હુકમ થાય તે બંને માંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલી રહેશે.

આ પણ વાંચો : ચીનના ડાલિયાનમાં કોવિડ-19ના વધતા કેસો બાદ યુનિવર્સિટીમાં લોકડાઉન

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં કોરોનાને લઇને તમામ પ્રતિબંધ હટ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.