ETV Bharat / city

NDRFની 100 ટીમ ફિલ્ડમાં, 1 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થવાની શક્યતા, ખેતીને પણ નુકશાન

author img

By

Published : May 18, 2021, 6:51 PM IST

NDRFની 100 ટીમ ફિલ્ડમાં, 1 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થવાની શક્યતા, ખેતીને પણ નુકશાન
NDRFની 100 ટીમ ફિલ્ડમાં, 1 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થવાની શક્યતા, ખેતીને પણ નુકશાન

તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રે 8:00થી 11:00 સુધીમાં દીવ અને ઉના વચ્ચે ગુજરાતના દરિયાઇ કિનારેને ટકરાયું હતું જેમાં શરૂઆતના ચાર કલાકમાં નહિવત નુકશાનથી નોંધાઈ હતી. આ ઉપરાંત સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ એક પણ નુકસાનીના સમાચાર રાત્રીના બે વાગ્યા સુધી આવ્યાં ન હતાં. પરંતુ આજ સવારથી જ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટો જતી રહી હોવાની વાત સામે આવી હતી, જ્યારે એક લાખથી વધુ વૃક્ષો ઝડપી ભવનમાં જમીનદોસ્ત બની ગયા હોવાની માહિતી પણ સામે આવ્યાં છે.

  • તૌકતે વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી
  • 25 જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ
  • અનેક જિલ્લામાં વૃક્ષો થયાં ધરાશાયી
  • અમદાવાદમાં વહેલી સવારથી સતત વરસાદ
  • 2500 જેટલા ગામમાં વીજળી ગુલ
  • અમદાવાદમાં જોવા મળી રહી છે અસર

    ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો વાવાઝોડાની અસર રાજ્યના આર્થિક પાટનગર અને રાજકીય પાટનગર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અનેક વિસ્તારમાં ઝાડ પડ્યાં હોવાની ઘટના પણ સામે આવી છે. આમ સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઇ આવી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં તૌકતેનું તાંડવ : મસાલા માર્કેટમાં ભારે નુકસાન

પહેલા 42 NDRFની ટીમ હતી, હવે ફિલ્ડમાં NDRFની 100 ટીમ કાર્યરત

વાવાઝોડું ત્રાટકે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ 24 એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી હતી. ત્યારબાદ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ ગયું હોવાનું સ્પષ્ટ થતાં 42 જેટલી ટીમ એનડીઆરએફની અને સૌરાષ્ટ્રમાં ડિપ્લોય કરવામાં આવી હતી. સાથે જ્યારે હવે વાવાઝોડું લેન્ડ ફોલ થઈ ગયું છે ત્યારે 100 જેટલી એનડીઆરએફની ટીમને કાર્યરત કરવામાં આવી છે.

વાવાઝોડું લેન્ડ ફોલ થઈ ગયું છે ત્યારે 100 જેટલી એનડીઆરએફની ટીમને કાર્યરત કરવામાં આવી છે
2500 જેટલા ગામમાં વીજળી ગુલ, 1000 વીજ પોલ પડ્યાં રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે વાવાઝોડાની અસર સ્વરૂપે દરિયાકાંઠા વિસ્તારના અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર પડી છે. જેમાં 2437 જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, તેમ જ 1081 વીજ થાંભલાઓ પણ ભારે પવન હોવાના કારણે પડી ગયા હતાં. આ ઉપરાંત વીજ વિભાગની 661 સતત કાર્યરત રહીને 484 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. જ્યારે આઠ ટીમોએ વીજ સપ્લાય લાઈનો પર પડેલા વૃક્ષોની અડચણ દૂર કરવા અને પડી ગયેલા થાંભલાઓને દુરસ્ત કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી છે.બુધવાર સવાર સુધી વાવાઝોડાની અસર જોવા મળશેહવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું હવે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે ત્યારે બુધવારે સવાર સુધી સમગ્ર રાજ્યમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે. આ ઉપરાંત રાજ્યનો દરિયા કિનારો છે તે હજુ પણ વધુ બે દિવસ સુધી વધુ અસર રહે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ શહેરના કોટ વિસ્તારમાં AMC અને ફાયરની ટીમ સ્ટેન્ડ બાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.