ETV Bharat / city

Gujarat Corona update : રાજ્યમાં આજે ફરી વખત કોરોના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 16,608 લોકો થયા સંક્રમિત

author img

By

Published : Jan 25, 2022, 8:16 PM IST

Gujarat Corona update : રાજ્યમાં આજે ફરી વખત કોરોના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 16,608 લોકો થયા સંક્રમિત
Gujarat Corona update : રાજ્યમાં આજે ફરી વખત કોરોના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 16,608 લોકો થયા સંક્રમિત

રાજ્યમાં આજે ફરી એક વખત કોરોનાના કેસમા(Corona case in Gujarat) વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16,608 લોકો સંક્રમિત થયા છે અને 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો(Death from corona in Gujarat) છે. તેમજ રાજ્યમાં આજે 2,43,811 લોકોને કોરોનાની રસી પણ(Vaccination in Gujarat) આપવામાં આવી છે.

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં(Corona case in Gujarat) સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે, કોરોનાએ છેલ્લા બે વર્ષના તમામ રેકોર્ડ તોડ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16,608 લોકો કોરોના પોઝિટિવ(Corona positive) નોંધાયા છે. આજે 17,467 દર્દીઓએ કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે, તેની સાથે 28 લોકો કોરોના સામે જંગ પણ હાર્યા છે. અમદાવાદમાં 10, સુરતમાં 02, બરોડામાં 02, સુરત જિલ્લામાં 03, જામનગર અને જામનગર ગ્રામયમાં 2-2, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, ખેડા નવસારી અને મહેસાણા જિલ્લામાં 1-1 મૃત્યુ નિપજ્યા છે.

આ પણ વાંચો : India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2.5 લાખથી વધુ, 614 લોકોના મોત

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કોરોમનાના કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 5,303 કેસ, સુરત શહેરમાં 1,004, બરોડા શહેરમાં 3,041 અને રાજકોટમાં 1,376 કેસ નોંધાયા છે.

આજે 2,43,811 નાગરિકોનું કરાયું રસીકરણ

આજે રાજ્યમાં કુલ 2,43,811 નાગરિકોને વેકિસન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 29,683 નાગરિકોને પ્રથમ ડોઝ, 70,579 નાગરિકોને બીજો ડોઝ, 15થી 18 વર્ષના 46,626 બાળકો રસીકરણ પ્રથમ ડોઝ, 65,510 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કુલ 9,59,59,428 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 175 નવા કેસ નોંધાયા

રાજ્યમાં 1,34,261 એક્ટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જોવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં કુલ 1,34,261 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 255 વેન્ટિલેટર પર અને 1,34,006 દર્દીઓ સ્ટેબલ છે અને અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 10,302 રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,48,405 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં હાલમાં કોરોમનાનો રિકવરી રેટ 86.77 ટકા નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.