Exhibition in Mahatma Mandir : મુખ્યપ્રધાને નાણાંપ્રધાનની હાજરીમાં કેન્દ્રીય જાહેર સાહસોને આપી દીધું એક ઇજન

author img

By

Published : Jun 9, 2022, 3:56 PM IST

Exhibition in Mahatma Mandir : મુખ્યપ્રધાને નાણાંપ્રધાનની હાજરીમાં કેન્દ્રીય જાહેર સાહસોને આપી દીધું એક ઇજન

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitaraman) આજે ગુજરાત મુલાકાતે હતાં. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકારના જાહેર સાહસો દ્વારા દેશના વિકાસમાં યોગદાન અંગે યોજાયેલા પ્રદર્શનમાં (Exhibition on Central Government Public Enterprises) તેઓ ઉપસ્થિત હતાં. આ સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) જાહેર સાહસો સમક્ષ કેટલીક અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.

ગાંધીનગર : સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકારના જાહેર સાહસો દ્વારા દેશના વિકાસમાં થયેલા યોગદાન બાબતે આજે મહાત્મા મંદિર ખાતે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના જાહેર સાહસો વિશે પ્રદર્શનનું (Exhibition on Central Government Public Enterprises) કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitaraman) અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel ) કેન્દ્ર સરકારના જાહેર સાહસોને ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં (Gift City of Gandhinagar )આવીને બેક ઓફિસ તૈયાર થાય અને ગિફ્ટ સિટીના વધુ વિકાસ થાય તે બાબતનું આમંત્રણ પણ જાહેર મંચ પરથી આપ્યું હતું.

જાહેર સાહસો ગિફ્ટ સિટીની અંદર નાણાકીય વ્યવસ્થા ઉભી કરે અને પોતાની આઈટી સેલની પણ સ્થાપના કરે તેવું આમંત્રણ આપ્યું

શું કહ્યું નિર્મલા સીતારમણે - આ અવસરે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav )અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે જે જાહેર સાહસો પ્રદર્શનમાં આવ્યા છે તેમની વિગતો સાથે ભવિષ્યના આયોજન પર માહિતી આપવામાં આવી છે. જ્યારે જાહેર સાહસો શરૂ થયા ત્યારે મોટા રોકાણ long-term પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવ્યા હતાં. જે તે વિભાગના વિકાસ માટે આયોજન થયું હતું. ભારતનું અર્થતંત્ર હવે ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યું છે અને વર્ષ 1991થી ભારત અને ભારત બહારથી પણ વધુ રોકાણ આવી રહ્યું છે. ત્યારે આવી તક મળતા ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ બિઝનેસ માટે આગળ આવ્યા છે. જ્યારે 2021-22 માં બજેટમાં ભારત માટે તમામ સેક્ટરને ખુલ્લા મુકાયાં હતાં. જ્યારે જાહેર સાહસોના સેક્ટરનો વધુ વિકાસ થાય તે બાબતે પર ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર સાહસોમાં ખાનગી રોકાણ પોલીસી (Private investment policy in public enterprises) પણ બની છે જેથી સ્પર્ધામાં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ CBSE ટોપરને LICએ નોટિસ મોકલતા, નાણાપ્રધાને લીધા આવા પગલા...

જાહેર સાહસો ગિફ્ટ સિટીમાં આવે - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )જાહેરમંચ ઉપર હાજર દેશના તમામ જાહેર સાહસોને ગાંધીનગરની ગિફ્ટ સિટી (Gift City of Gandhinagar )ખાતે આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. તેમણેે તમામ જાહેર સાહસો ગિફ્ટ સિટીની અંદર નાણાકીય વ્યવસ્થા ઉભી કરે અને પોતાની આઈટી સેલની પણ સ્થાપના કરે તેવું આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (Prime Minister Narendra Modis dream project) છે. ત્યારે આ ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકારના જાહેર સાહસો પણ પોતાની ઓફિસ તૈયાર કરે તેવી અપેક્ષા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી હતી. ગિફ્ટ સિટીમાં ict નેટવર્ક ઓપરેશન શરૂ કરવાની સુવિધા, બેક ઓફિસ અને આઇટી ઓપરેશનની વ્યાપક સગવડોનો લાભ લેવા માટે CPSEs ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ વ્યવસાય કરવા માટે આવે તેવો પણ અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ લોજિસ્ટિક્સ કંપની FedExના પ્રતિનિધિમંડળ નવા પ્રોજેકટને લઈને ગુજરાતની મુલાકાતે, જૂઓ શું સ્થાપવા ઇચ્છુક...

પ્રાઇવેટ અને પબ્લિક સેકટર બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારત દેશે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે અને આ માળખાને વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળી છે. આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ જેવી કે freedom struggle, આઈડિયા, રિસોલ્વ, એક્શન અને એચિવમેન્ટ બધી જ થીમ CPSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે. આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રના યોગદાન આપી વિકાસની ગતિ તથા આત્મનિર્ભર ભારતની દિશા વધુ તેજ બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.