કોરોના સામે લડવા સરકાર બાંધશે પૂર પહેલાં પાળ... ઘરે ઘરે જઈને કરશે આ કામ

author img

By

Published : Jun 23, 2022, 1:19 PM IST

Updated : Jun 23, 2022, 4:28 PM IST

કોરોના સામે લડવા સરકાર બાંધશે પૂર પહેલાં પાળ... ઘરે ઘરે જઈને કરશે આ કામ

રાજ્યમાં કોરોનાના વધતા કેસની (Corona Cases in Gujarat) વચ્ચે બીજી ચિંતાજનક વાત સામે આવી (Corona Vaccination in Gujarat) છે. કારણ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ વયના માત્ર 1.4 ટકા લોકોએ જ કોરોનાની રસીનો ડોઝ લીધો છે. જ્યારે 98.6 ટકા લોકોએ હજી સુધી પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) નથી લીધો.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીએ દેશને સંબોધન કરીને 18 વર્ષથી વધુની વયના નાગરિકોના કોરોના રસીકરણ માટેની જાહેરાત (Corona Vaccination in Gujarat) કરી હતી. ત્યારે ગુજરાતની વાત કરીએ તો, આજ દિન સુધીમાં એટલે કે, 12 ફેબ્રુઆરીથી આજ દિન સુધીમાં ફક્ત 1.4 ટકા લોકોએ જ કોરોનાની રસીનો ડોઝ લીધો છે. જ્યારે હજી સુધી 98.6 ટકા લોકોએ કોરોના વ્યક્તિનો પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) લીધો જ નથી.

કોરોના રસીકરણ
કોરોના રસીકરણ

રાજ્યમાં હજી 1.13 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ નથી લીધો - દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ (Corona Vaccination in Gujarat) શરૂ થયું છે. ત્યારબાદ તબક્કાવાર રીતે કોરોનાની રસી આપવામાં આવી હતી. જોકે, ગુજરાતમાં હજી પણ 1,13,947 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ નથી લીધો. જ્યારે 23,57,991 લોકોએ બીજો ડોઝ નથી લીધો. આ સમગ્ર વિગતો રાજય સરકારના આરોગ્ય વિભાગમાંથી મળી રહી છે. જ્યારે બાળકોની વાત કરીએ તો, 15થી 17 વર્ષના 4,64,160 બાળકોએ પ્રથમ અને 3,01,402 બાળકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. જ્યારે 12થી 14 વર્ષની વયના બાળકોમાં હજી 5,17,258 અને બીજા ડોઝમાં 3,38,276 બાળકોએ રસીના ડોઝ લીધા નથી.

રસી લેનારાની સંખ્યા
રસી લેનારાની સંખ્યા

98.6 ટકા લોકો પ્રિકોશનરી ડોઝ લેવાના બાકી - રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસનો (Corona Cases in Gujarat) આંકડો 400ને પાર પહોંચ્યો છે. ફક્ત અમદાવાદમાં 200 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, હજી 98.6 ટકાથી વધુ લોકોના પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) લેવાના બાકી છે. જ્યારે પ્રિકોશનરી ડોઝ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, 18 વર્ષથી 59 વર્ષ સુધીના લોકોને ખાનગી સેન્ટરમાં જઈને પૈસા ચૂકવીને પ્રિકોશનરી ડોઝ લેવાના SMS પણ કરવામાં આવી રહ્યા છે, પણ પ્રિકોશનરી ડોઝની 450 રૂપિયાની કિંમત હોવાના કારણે લોકો પ્રિકોશનરી ડોઝ નથી લઈ રહ્યા.

વય આધારિત રસીકરણ
વય આધારિત રસીકરણ

60 વર્ષથી વધુ વયના લોકોમાં 38 ટકા લોકો બાકી - કેન્દ્ર સરકારની ગણતરી પ્રમાણે, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત કુલ 36,81,094 લોકોને પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) આપવામાં આવ્યા છે. જ્યારે હજી પણ 38 ટકા લોકોએ પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) લેવાનો બાકી છે. આમ, રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી ઢીલી પડી છે. તેને ધ્યાનમાં રાખી કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્યમાં રસીનો સ્ટોક
રાજ્યમાં રસીનો સ્ટોક

સરકાર હવે જશે ઘરે ઘરે - રાજ્ય સરકાર દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ મફત માં આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં હજુ 38 ટકા પ્રિકોશનરી ડોઝ લેવાનો બાકી છે. ત્યારે રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે યોજાયેલી બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં જે નાગરિકો 60 વર્ષ થી વધુની ઉંમરના છે તેઓનવ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા તંત્ર અને કોર્પોરેશન વિસ્તારમાં આરોગ્યના કર્મચારીઓ ઘરે ઘરે જઈને વેક્સીન ના ડોઝ આપવામાં આવશે.

સરકાર ઘરે ઘરે જઈને આપશે રસી
સરકાર ઘરે ઘરે જઈને આપશે રસી

આ પણ વાંચો- સુરતમાં આટલા વિદ્યાર્થીઓ હજુ કોરોનાના બીજા ડોઝથી છે વંચિત, જાણો શું છે કારણ

90 ટકાથી ઓછું કોરોના રસીકરણ ધરાવતા તાલુકાઃ પાટણ જિલ્લાના 8, બોટાદ જિલ્લાના 4 અને અરવલ્લી જિલ્લાના 3 તાલુકામાં 90 ટકાથી ઓછું કોરોના રસીકરણ થયું છે.

આ પણ વાંચો- બાળકોને કોરોનાથી બચાવવા તમામ શાળાઓમાં કરાશે કોરોના વેક્સિનેશન ડ્રાઈવ

સરકાર આગેવાનો અને ધર્મગુરુના આશરે - રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના લોકોને રાજ્ય સરકાર નિઃશુલ્ક કોરોના રસી આપી રહી છે. ત્યારે હજી પણ 38 ટકા જેટલા લોકો વ્યક્તિના પ્રિકોશનરી ડોઝથી દૂર રહ્યા છે. તેવામાં 100 ટકા પ્રિકોશનરી ડોઝનો આંકડો આવે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે આગામી દિવસોમાં ધર્મગુરુઓ અને જેથી આ વિસ્તારના આગેવાનોના વીડિયો રેકોર્ડ કરીને જેતે જગ્યા ઉપર ડિસ્પ્લે કરવામાં આવશે. જેથી લોકો રસીકરણ વધુમાં વધુ ઝડપથી કરાવે.

Last Updated :Jun 23, 2022, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.