જેમને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેમણે જ હવે સરકાર સામે ચડાવી બાંયો

author img

By

Published : Sep 1, 2022, 11:22 AM IST

Updated : Sep 1, 2022, 11:57 AM IST

જેને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેમણે જ હવે સરકાર સામે ચડાવી બાંયો
જેને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેમણે જ હવે સરકાર સામે ચડાવી બાંયો ()

ગાંધીનગરમાં વિચરતી વિમુક્ત જનજાતિના લોકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે જો 15 દિવસમાં તેમની માગ પૂરી કરવામાં નહીં આવે તો ભાજપ સાથે છેડો ફાડી દેવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. bjp gujarat latest news,

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly elections 2022) ગણતરીના મહિનાઓની વાર છે. તેવામાં હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નિવાસસ્થાન ખાતે વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે સંમેલન અને શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે. ત્યારે હવે વિચરતી વિમુક્ત જનજાતિએ સરકાર સામે (denotified and nomadic tribes) બાંયો ચડાવી છે.

15 દિવસમાં કરો નિર્ણય

15 દિવસમાં કરો નિર્ણય ગાંધીનગરના રામકથા મેદાન (ram katha ground gandhinagar) ખાતે 40 જેટલી વિચરતી વિમુક્તિ જનજાતિ (denotified and nomadic tribes) દ્વારા OBCમાંથી 11 ટકા અનામત અલગથી માગ કરવામાં આવી છે. તેમ જ ભૂતકાળમાં પણ સરકારે બાંહેધરી આપી હોવાની વાત પણ આગેવાનોએ કરી છે. ત્યારે રાજ્ય સરકાર 15 દિવસમાં બાંહેધરી મુજબ કાર્યવાહી નહીં કરે તો ભાજપ સરકાર (bjp gujarat latest news) સાથે છેડો પાડવાની ચીમકી પણ વિચરતી વિમુક્ત જાતિ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો જૂની માર્ગની સમસ્યા પર શહેરીજનો અને મનપા સત્તાધીશો વચ્ચે ખેંચાઈ નવી લક્ષ્મણ રેખા

રાજ્યમાં 1.25 કરોડની વસ્તી રાજ્યમાં વિચરતી વિમુક્તિ જનજાતિની (denotified and nomadic tribes) સંખ્યાની વાત કરીએ તો તેમની કુલ 1 કરોડ 25 લાખ જેટલી વસ્તી છે. જ્યારે 40 જ્ઞાતિની વાત કરીએ તો, તેમાં દેવીપૂજક, ચુવાળીયા, કોળી રાવળ, યોગી, લૂહાર, વણઝાર, નટ, બજાણિયા, દોરી સહિત એનટીડીએનટીમાં સમાયેલા કુલ 40 જનજાતિઓને OBCમાં ફાળવવામાં આવેલા 27 ટકા અનામતમાંથી 11 ટકા અનામત અલગ આપવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો પાટણના ધારાસભ્યે કોંગ્રેસ ટીમ સાથે જાતે વેટમિક્સ પાથરી ખાડા પૂર્યાં, વિરોધનો નવતર પ્રયોગ

અનામતનો અમલ કરવા માગ બીજી માગની વાત કરીએ તો, આ અનામતનો અમલ શિક્ષણ, સરકારી નોકરી અને ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈને લોકસભાની ચૂંટણીમાં (lok sabha elections 2024) લાગુ થાય તે રીતની પણ માગ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની કમિટીનો હુકમ આંદોલનના આગેવાન રૂપસંગ ભરભિડીયાએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2000થી આ બાબતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2015માં કેન્દ્ર સરકારની કમિટી દ્વારા પણ કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે આ ભલામણ ને આધારે રાજ્ય સરકારને પણ ભલામણ કરી છે, જેને 5 વર્ષ પૂર્ણ થયા છે. તેમ છતાં પણ હજી સુધી કોઈ પણ કામગીરી થઈ નથી અને રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી ત્યારે જો હવે આવનારા 15 દિવસમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો ભાજપ સરકાર (bjp gujarat latest news) અને ભાજપ પક્ષથી છેડો ફાડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

Last Updated :Sep 1, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.