રાજયમાં 24 કલાકમાં માત્ર અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોવિડના કેસ, ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ કેસ નહિ

author img

By

Published : Aug 31, 2021, 9:05 PM IST

કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે, ત્યારે 31 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત બાર જેટલા જ પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત ત્રણ જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે.

  • સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસ
  • અન્ય તમામ જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ કેસ નહિ
  • અમદાવાદમાં 6, વડોદરામાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 00 કેસ નોંધાયો

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 31 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત બાર જેટલા જ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત ત્રણ જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને તમામ જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 14 કેસ નોંધાયા, 30 જિલ્લા અને 5 કોર્પોરેશનમાં એક પણ કેસ નહિ

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝિટમાં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

માત્ર ઓગસ્ટ માસમાં 1.34 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન વેક્સિનના 1 કરોડ 34 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં આજે એટલે કે 31 ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 8,01,175 રસીના ડોઝ અપાયા છે. ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં 70.20 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 62 લાખથી વધુને વેક્સિનના ડોઝ અપાયા છે.

આ પણ વાંચો- દોઢ વર્ષમાં પહેલીવાર ગાંધીનગર જિલ્લો થયો કોરોના મુક્ત

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 150 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 3 વેન્ટિલેટર પર અને 147 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,081 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,191 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.