ETV Bharat / city

Gandhinagar Corporation Election 2021: પ્રચાર પડઘમ શાંત, રવિવારે યોજાશે મતદાન

author img

By

Published : Oct 1, 2021, 6:16 PM IST

Updated : Oct 1, 2021, 7:52 PM IST

Gandhinagar Corporation Election 2021
Gandhinagar Corporation Election 2021

તમામ ચૂંટણીમાં મતદાનના 48 કલાક અગાઉ આચારસંહિતા (code of conduct) લાગૂ કરવામાં આવે છે. જેના અંતર્ગત તમામ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર-પ્રસારની કામગીરી પર પ્રતિબંધ લાદવામાં આવે છે. રવિવારના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021) હોવાથી આજે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા છે. જોકે, પ્રચારના અંતિમ દિવસે ત્રણેય મુખ્ય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.

  • ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત
  • પ્રચાર પડઘમ શાંત થતા તમામ પાર્ટીઓ કરશે ડોર ટૂ ડોર પ્રચાર
  • પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું

ગાંધીનગર: 3 ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021) માટે મતદાન યોજાશે. જેને લઈને આજે એટલે કે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે. પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓ દ્વારા પોતપોતાના દિગ્ગજ નેતાઓને ગાંધીનગરના માર્ગો પર પ્રચાર માટે ઉતારવામાં આવ્યા હતા. ત્યારે હવે પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા અવનવી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

ગાંધીનગર મ.ન.પા.નો વિગતવાર ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખ6 સપ્ટેમ્બર
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ20 સપ્ટેમ્બર
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર
મતદાનની તારીખ3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ4 ઓક્ટોબર
મતગણતરીની તારીખ5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ8 ઓક્ટોબર

હવે ડોર ટૂ ડોર પ્રચાર અને મિટિંગોનો ધમધમાટ શરૂ થશે

હાલમાં ચૂંટણી જીતવા માટે ત્રણેય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પ્રચાર-પ્રસાર બંધ થતા હવે રાજકીય પાર્ટીઓ દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર અને મિટિંગોનો ધમધમાટ શરૂ થશે. ગાંધીનગર કોર્પોરેશનમાં આ વખતે 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે નવા વિસ્તારોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી સીમાંકન પણ વધતા તમામ વિસ્તારોને આવરીને ત્રણેય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી.

વોર્ડ નં. 01
ભાજપકોંગ્રેસAAP
મીનાબેન મકવાણાભાવનાબેન પરમારકલ્પનાબેન આનંદ
અંજનાબેન મહેતાસુનિતાબેન પટેલરીનાબેન રાવલ,
નટવરજી ઠાકોરભાવેશ દેસાઇવિજય સિંહ વાઘેલા
રાકેશકુમાર પટેલરાજેન્દ્રસિંહ ચાવડાહિતેશકુમાર ચૌધરી
વોર્ડ નં. 02
ભાજપકોંગ્રેસAAP
પારૂલબેન ઠાકોરમીનાબેન વાઘેલા જય વાઘેલા
દીપ્તિબેન પટેલપ્રવિણસિંહ ડાભીપૃથ્વીરાજસિંહ વાઘેલા
અનિલસિંહ વાઘેલાગજેન્દ્રસિંહ વાઘેલાપ્રીતિબેન શર્મા
દિલીપસિંહ વાઘેલાક્રિષ્નાબેન ઠાકોર-
વોર્ડ નં. 03
ભાજપકોંગ્રેસAAP
સોનાલીબેન પટેલઉર્મિલા મહેતાઉર્મિલાબેન મકવાણા
દિપીકાબેન સોલંકીજનકબા વિહોલજયેશ હળપતિ
ભરતભાઈ ગોહિલમેહુલ ગામીતમહેશ રાવલ
સંજીવ મહેતાઅંકિત બારોટભરત જોશી
વોર્ડ નં. 04
ભાજપકોંગ્રેસAAP
સવિતાબેન ઠાકોરરોશન પરમાર ચંદ્રિકાબેન વાઘેલા
દક્ષાબેન ઠાકોરલલીતાબેન ઠાકોર પિયુષ કુમાર પટેલ
ભરતભાઈ દીક્ષિતરાકેશ કુમાર વસૈયાવંદનાબેન ઠાકોર
જશપાલસિંહ બિહોલાહસમુખકુમાર મકવાણા-

ચૂંટણીમાં અગાઉના ઉમેદવારીપત્રો માન્ય, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનું અવસાન નિપજ્યું હતું. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રથમ નોટિફિકેશન પ્રમાણે જે ઉમેદવારોએ અગાઉ ઉમેદવારી નોંધાવી છે. તે યથાવત રહેશે અને જે વોર્ડમાં રાજકીય પક્ષના ઉમેદવારોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેવી ઘટનામાં જ બીજો ઉમેદવાર જાહેર કરી શકાશે.

વોર્ડ નં. 05
ભાજપકોંગ્રેસAAP
કૈલાસબેન સુતરિયા હેમલતાબેન પરમાર નિકુંજ મેવાડાવાળા
હેમાબેન ભટ્ટ બ્રિજરાજ સિંહ ગોહિલ -
પદમસિંહ ચૌહાણ અરવિંદભાઈ પટેલ પાર્વતીબેન વડોદરા
કિંજલ કુમાર પટેલવૃંદાકુમારી પુરોહિત-
વોર્ડ નં. 06
ભાજપકોંગ્રેસAAP
-મંજુલાબેન ઠાકોરતુષાર પરીખ
- વર્ષાબેન ઝાલા નગીનભાઈ નાડીયા
-ચમનભાઈ વિંઝુડા ભૂમિબેન રબારી
-રજનીકાંત પટેલહર્ષાબેન શ્રીમાળી
વોર્ડ નં. 07
ભાજપકોંગ્રેસAAP
કિંજલબેન ઠાકોર ઉષાબેન પટેલજયાબેન પંડ્યા
સોનલબા વાઘેલા ગીતાબા વાઘેલાદશરથજી ઠાકોર
શૈલેષભાઈ પટેલ દેવેન્દ્રસિંહ ગોલ પારુલબેન પટેલ
પ્રેમલસિંહ ગોલઅમરતજી ઠાકોરમિત પટેલ
વોર્ડ નં. 08
ભાજપકોંગ્રેસAAP
ઉષાબેન ઠાકોર મીનાબેન ઠાકોર આશિષ ઝાલા
છાયાબેન ત્રિવેદી કુંતલબેન રાવલ ગૌતમ પરમાર
હિતેષભાઇ મકવાણા તુષાર આસોડિયા દિલીપસિંહ વાઘેલા
રાજેશ કુમાર પટેલરાકેશભાઇ પટેલરંજનબેન પટેલ

તમામ મતદાન મથકોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ મતદાન મથકો ઉપર કોઈ પ્રોટોકોલ પ્રમાણે કાર્ય કરવાની સૂચના ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આપવામાં આવી છે. જ્યારે તમામ મતદાન મથકોમાં થર્મલ ગન, સેનેટાઈઝર, અને ફેસ શિલ્ડ જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.

વોર્ડ નં. 09
ભાજપકોંગ્રેસAAP
અલ્પાબેન પટેલ વૈશાલીબેન પરીખ દેવ્યાંગ ત્રિવેદી
શૈલાબેન ત્રિવેદી હિનાબેન પટેલ મહિપત ગઢવી
રાજુભાઈ પટેલ ઉર્ષલભાઈ જોશી સુશીલાબેન સોલંકી
સંકેતભાઈ પંચાસરારાજેશભાઈ પ્રજાપતિહેતલબેન પટેલ
વોર્ડ નં. 10
ભાજપકોંગ્રેસAAP
તેજલબેન નાયી હંસાબેન પરમાર રમીલાબેન રાઠોડ
મીરાબેન પટેલ ભારતીબેન પટેલ વિરેન્દ્રસિંહ ગોહિલ
પોપટજી ગોહિલ મહેશકુમાર શાહ સંગીતાબેન પટેલ
મહેન્દ્રભાઈ પટેલકરણસિંહ પરમારહાર્દિક તલાટી
વોર્ડ નં. 11
ભાજપકોંગ્રેસAAP
સેજલબેન પરમાર જ્યોત્સનાબેન સોલંકી કિશોરજી ઠાકોર
ગીતાબેન પટેલ પારુલબેન ઠાકોર નારણભાઈ પટેલ
માણેકજી ઠાકોર સંજય ભરવાડ નીરૂબેન મકવાણા
જશવંત પટેલદશરથજી ઠાકોરહેમલ પટેલ

આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી જાહેર

ગાંધીનગર કોર્પોરેશન તથા અન્ય નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કોરોનાની બીજી લહેર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે 3 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

Last Updated :Oct 1, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.