ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 કેસ નોંધાયા, 2 દર્દીના થયા મોત

author img

By

Published : Jul 2, 2021, 9:26 PM IST

Gujarat Corona Update
Gujarat Corona Update

રાજ્યમાં કોરોના( Corona )ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે શુક્રવારે વધુ 228 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 પોઝિટિવ કેસ નોંધાયા
  • 228 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 02 દર્દીના થયા મોત

ગાંધીનગર: રાજ્યમાં કોરોના ( Corona ) ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં આજે શુક્રવારે પણ 100 થી ઓછા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે. આજે શુક્રવારે વધુ 228 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 02 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના( Corona )ની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 51 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. આ ઉપરાંત સુરતમાં 18, બરોડામાં 04 અને રાજકોટમાં 04 કેસ નોંધાયા છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

રાજયમાં વધુ 2,48,796 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ( Vaccination ) ઝડપી બનાવવામાં આવ્યું છે. આજે શુક્રવારે 2,48,796 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,62,11,578 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે શુક્વારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,24,526 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18 વર્ષથી વધુના 4906 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ડોઝ લેનારાની સંખ્યા 2 કરોડની પાર પહોંચી છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા, 03 લોકોના થયા મૃત્યુ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોના( Corona )ની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 2644 એક્ટિવ કેસ છે. જેમાં 10 વેન્ટિલેટર પર અને 3634 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,064 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,10,979 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.46 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.