રાજયમાં વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, હવે પરીક્ષા આપીને મેળવશે નવું પરિણામ

author img

By

Published : Aug 9, 2021, 5:17 PM IST

ગાંધીનગર

કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરના કારણે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે ગુજરાત સરકારે પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરીને ધોરણ 10ના માર્કને આધારે ધોરણ 12નું પરિણામ આપ્યું હતું. જે વિદ્યાર્થીઓ આ પરિણામથી અસંતુષ્ટ હતા તેવા 65 વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં 12થી 18 ઓગસ્ટ દરમિયાન પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ વિધાર્થીઓ નારાજ
  • ફક્ત 65 જેટલા વિધર્થીઓ નરાજગી નોંધાઇ
  • 65 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન 1 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરના કારણે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે ગુજરાત સરકારે પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરીને ધોરણ 10ના માર્કને આધારે ધોરણ 11નું પરિણામ અને ધોરણ 12નું શાળાકીય પરિણામના આધારે પરિણામ તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. જેમાંથી ફક્ત 65 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની નોંધણી કરાવી છે.

ફક્ત અમદાવાદમાં 12 ઓગસ્ટથી પરીક્ષા યોજાશે

વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા સચિવ જે.જી. પંડયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ જ ફરીથી પરીક્ષા આપવા માટે તૈયાર થયા છે. આમાં ફક્ત 65 જેટલા જ વિદ્યાર્થીઓ હોવાના કારણે સમગ્ર રાજ્યમાંથી ફક્ત અમદાવાદ સેન્ટર પર જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન દિવસમાં બે પેપરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 17 અને 18 ઓગસ્ટના દિવસે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષાનું પણ આયોજન કરાયું છે.

65 વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં યોજાશે પરિક્ષા

ક્યાં ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ

ગ્રેડવિદ્યાર્થીઓ
A1 3245
A215,284
B124,757
B226,831
C1 22,174
C212,071
D 2609
E1289
E24

ગ્રુપ Aનું પરિણામ

ગ્રેડવિદ્યાર્થીઓ
A11629
A27780
B111,621
B210,695
C17319
C23384
D639
E175
E200

ગ્રુપ Bનું પરિણામ

ગ્રેડવિદ્યાર્થીઓ
A11614
A27501
B113,131
B216,133
C114,854
C28685
D1970
E1214
E24

AB ગ્રુપનું પરિણામ

ગ્રેડવિદ્યાર્થીઓ
A12
A23
B15
B23
C11
C20
D0
E10
E20

હવે જે પરિણામ આવે એ અંતિમ પરિણામ રહેશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ હોય તેઓ ફરીથી પરિક્ષા આપી શકશે અને 3 ઓગસ્ટ સુધીમાં તેઓ સ્કૂલ મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને પોતાની માર્કશીટ જમા કરીને અરજી કરી શકશે ત્યારે કુલ ફક્ત પાંચ જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાંથી ફરીથી પરીક્ષા આપવાની અરજી કરી છે. ત્યારે હવે જે પરિણામ આવશે તે પરિણામ અંતિમ પરિણામ ગણવામાં આવશે. આમ નિયમ પ્રમાણે પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં જો પરીક્ષાથી પોતાની અરજી પરત ખેંચે તો પહેલાનું પરિણામ માન્ય ગણવામાં આવે છે, પરંતુ પરીક્ષા આપ્યા બાદ જે પરિણામ આવશે તે પરિણામ માન્ય ગણવામાં આવશે.

આ પણ વાંચો- 50:25:25ની ફોર્મ્યુલા જાહેર: ધોરણ 10ના 50 ટકા અને ધોરણ 11ના 25-25 ટકા ગુણ ધો.12ના પરિણામમાં ગણાશે

ત્યારે 17 જુલાઈના દિવસે જાહેર થયું હતું પરિણામ

2021ના રોજ સવારે 8 કલાકે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનિઓ પરીક્ષામાં પાસ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.