ETV Bharat / city

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ, 44 દર્દીઓએ કોવિડને આપી માત

author img

By

Published : Nov 20, 2021, 10:51 PM IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ, 44 દર્દીઓએ કોવિડને આપી માત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ, 44 દર્દીઓએ કોવિડને આપી માત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોનાના કેસો (corona cases in gujarat)માં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 પોઝિટિવ કેસ (corona positive cases) નોંધાયા છે. તો 44 દર્દીઓએ કોરોના (coronavirus)ને હરાવ્યો છે અને પોતાના ઘરે પાછા ફર્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 6 કૉર્પોરેશન (corporation) અને 7 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.

  • સમગ્ર રાજ્યમાં ફક્ત 6 કોર્પોરેશન અને 7 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
  • ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના(coronavirus in gujarat) કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા. ત્યારબાદ હવે જૂન, જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ(Corona transition in gujarat) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. પણ હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસો (coronavirus cases in gujarat)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.

6 કૉર્પોરેશનમાં કોરોનાના કેસ નોંધાયા

નવેમ્બર માસની 20 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન (corporation) જેવા કે અમદાવાદ (ahmedabad), સુરત, વડોદરા, જામનગર અને ગાંધીનગર કોર્પોરેશન (gandhinagar corporation)માં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી 7 જિલ્લા- અમદાવાદ, જામનગર, કચ્છ, મહેસાણા, નર્મદા, સાબરકાંઠા, અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 કોરોના પોઝિટિવ કેસ(Corona positive case) નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 08, બરોડામાં 07, સુરતમાં 04 અને રાજકોટમાં 02 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 6 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 08 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 4,10,463 નાગરિકોને વેક્સિન અપાઈ

આજ રોજ 20 નવેમ્બરના રાજ્યમાં કુલ 4,10,463 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 35,728 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 2,65,099 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં કુલ 7,69,79,814 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 323

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 323 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 319 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 10,091 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોના ને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ

આ પણ વાંચો: 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર - સુરત બીજા ક્રમે, ટૉપ-10માં ગુજરાતના 3 શહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.