ETV Bharat / city

Corona Update : રાજ્યમાં આજે ફરી વધ્યા કોરોનાના કેસ, 17 દર્દીઓએ કોવિડ-19ને આપી માત

author img

By

Published : Nov 16, 2021, 8:53 PM IST

Updated : Nov 18, 2021, 3:02 PM IST

Corona Update : રાજ્યમાં આજે ફરી વધ્યા કોરોનાના કેસ, 17 દર્દીઓએ કોવિડ-19ને આપી માત
Corona Update : રાજ્યમાં આજે ફરી વધ્યા કોરોનાના કેસ, 17 દર્દીઓએ કોવિડ-19ને આપી માત

દિવાળી (diwali) બાદ રાજ્યમાં કોરોના (coronavirus in gujarat) ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 કોરોના કેસ (corona cases) સામે આવ્યા છે. 33 જિલ્લામાંથી 4 કૉર્પોરેશન (corporations) અને 4 જિલ્લામાં કોરોનાના કેસો સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 253 થઈ ગઈ છે.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35 કેસ
  • 17 દર્દીઓએ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona cases in gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (corona transition) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસો (corona cases)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે નવેમ્બરમાં 16 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન- અમદાવાદ (ahmedabad corporation), સુરત (surat corporation), બરોડા અને રાજકોટ કૉર્પોરેશનમાં કોરોનાના કેસ નોંધાયા છે.

4 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ

33 જિલ્લામાંથી 4 જિલ્લા- અમદાવાદ, વલસાડ, કચ્છ અને નવસારીમાં કોરોનાના પોઝિટિવ કેસ (corona positive cases in navsari) નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 કોરોના પોઝિટિવ કેસ (corona positive cases) નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (health department gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 4 કોર્પોરેશન- અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ કૉર્પોરેશન (rajkot corporation) વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

5,05,556 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

અમદાવાદ અને સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી છે. બીજી તરફ આજે 5,05,556 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 40,516 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 253

તો 3,30,574 નાગરિકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના કુલ 7,53,08,151 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 253 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 03 દર્દીઓ વેન્ટિલેટર પર અને 250 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,090 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે નોનવેજની લારીઓ હટાવવાં બાબતે શું આપ્યું નિવેદન જાણો...

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર, ટૂંક સમયમાં 8 જિલ્લામાં કૃષિ સહાય પેકેજ જાહેર થશે

Last Updated :Nov 18, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.