ETV Bharat / city

Corona: રાજયમાં 24 કલાકમાં 28 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 08 જિલ્લામાં કેસ નોંધાયા, મૃત્યુ 00

author img

By

Published : Jul 21, 2021, 9:26 PM IST

Corona: રાજયમાં 24 કલાકમાં 28 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 08 જિલ્લામાં કેસ નોંધાયા, મૃત્યુ 00
Corona: રાજયમાં 24 કલાકમાં 28 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 08 જિલ્લામાં કેસ નોંધાયા, મૃત્યુ 00

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં ( Corona ) સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મે અને જૂન મહિના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યાં છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 28 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ, તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લાં 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા
  • 50 દર્દીઓએ કોરોનાને માત આપી છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 04 સુરત 04 બરોડા 08 અને રાજકોટમાં 01

ગાંધીનગર : આજે 50 દર્દીઓએ કોરોનાને ( Corona ) માત આપીને ઘેર પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન અને 08 જિલ્લાના વિસ્તારોમાં કોરોના ( Corona ) પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 04 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 21 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે રસીકરણ બંધ રહ્યું
જ્યારે રાજ્યમાં 20 જુલાઈના રોજ 4,12,499 વ્યક્તિને રસી આપવામાં આવી હતી, રાજ્યમાં કોરોના ( Corona Vaccine ) રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,01,46,996 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયાં છે. રાજ્યના 2,678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2,732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આજે 21 જુલાઈના રોજ રસીકરણની કામગીરી જાહેર રજાના કારણે બંધ કરવામાં આવી હતી.

રાજ્યમાં એક્ટિવ કેસ 400થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 389 જેટલા Corona એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 384 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,109 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,015 નવા કેસ નોંધાયા, 3,998 મોત નીપજ્યાં

આ પણ વાંચોઃ અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત પ્રવાસ સંબંધિત ભલામણોમાં આપી છૂટ, સાવધાની રાખવાનો કર્યો આગ્રહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.