ભાવનગરમાં કોરોનામાં મૃત્યુ પામ્યાં હોવાની નોંધ હોસ્પિટલ કે મરણના દાખલામાં નહીં : મરણના દાખલા સરળતાથી એનાયત

author img

By

Published : Sep 7, 2021, 6:07 PM IST

Updated : Sep 7, 2021, 6:28 PM IST

ભાવનગરમાં કોરોનામાં મૃત્યુ પામ્યાં હોવાની નોંધ હોસ્પિટલ કે મરણના દાખલામાં નહીં : મરણના દાખલા સરળતાથી એનાયત
ભાવનગરમાં કોરોનામાં મૃત્યુ પામ્યાં હોવાની નોંધ હોસ્પિટલ કે મરણના દાખલામાં નહીં : મરણના દાખલા સરળતાથી એનાયત ()

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકામાં કેટલા મરણના દાખલા નીકળ્યા તે જોઈને તમે પણ ચોંકી જશો. 2020ની સાલમાં 9392 મરણના દાખલાઓ આપવામાં આવ્યા છે. ત્રણ બારીઓ દ્વારા દાખલાઓ આપવામાં આવતા હતાં. પરંતુ હોસ્પિટલમાં મરણ થયા બાદ ભરવાના ફોર્મમાં કે મહાનગરપાલિકાના મરણના દાખલામાં કોઈ ઉલ્લેખ મોતના કારણનું દર્શાવવામાં આવ્યું નથી.

  • કોરોનામાં મૃત્યુ પામેલાઓને મરણના દાખલાઓ તો મળી ગયા પણ ઉલ્લેખ નહીં
  • ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં 1000 કરતા વધુ મરણના દાખલા નીકળ્યાં
  • સરકારી તંત્રએ હોસ્પિટલ કે મહાનગરપાલિકાના મરણના દાખલામાં નથી કરી નોંધ
  • થયેલા મૃત્યુનો અંદાજ મરણના દાખલા પરથી કરી શકાય છે કે કેટલા મોત હશે

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો સરકારી ચોપડે ખૂબ જ ઓછો છે કારણ કે કોરોના સાથે અન્ય રોગ હોય તો કોમોરબીડ મૃત્યુ પણ ગણવામાં આવ્યું નથી. ત્યારે દરેકને મરણનો દાખલો તો આપવામાં આવે છે પણ તેમાં ક્યાંય ઉલ્લેખ હોસ્પિટલ કે મહાનગરપાલિકા દ્વારા કોઈ કાગળ પર કરવામાં આવતો નથી. ભાવનગરની બીજી લહેર ખતકનાક સાબિત થઈ અને મૃત્યુના દાખલા અધ ધ નીકળ્યાં છે.

ત્રણ બારીઓ દ્વારા દાખલાઓ આપવામાં આવતા હતાં.

ભાવનગર શહેરમાં કોરોનામાં બીજી લહેરમાં શું હતી પરિસ્થિતિ

ભાવનગર શહેરમાં બીજી લહેર ખૂબ ભયંકર હતી. લોકોને ઓક્સિજનના સિલિન્ડર તેમજ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયાં હતાં. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ મૃત્યુના દાખલા તો કાઢી આપ્યા પણ ક્યાંય ટાંક મારવામાં આવી નથી કે મૃત્યુ કોરોના કારણે કે કો મોરબીડના કારણે થયું છે. ઓગસ્ટ અને સેપ્ટમ્બરમાં સૌથી વધુ મરણના દાખલા નીકળ્યા છે જ્યારે બીજી લહેર જોરમાં હતી.

ભાવનગરમાં સ્થાનિક તંત્રએ આંકડા બતાવ્યાં પણ મૃત્યુનું કારણ કોરોના નહીં

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જન્મ મરણ વિભાગમાં એક નહીં ત્રણ બારીઓ મૂકીને મરણના દાખલા કાઢ્યાં હતાં. જેથી મરણના દાખલા માટે કોઈએ હેરાન થવું પડે નહીં. મહાનગરપાલિકાના મરણના દાખલા કે હોસ્પિટલમાંથી આપવામાં આવતા સર્ટિફિકેટમાં ક્યાંય ઉલ્લેખ કો મોરબીડ ડેથવાળા દર્દીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરોગ્ય વિભાગના અધિકારી હાલ રજા ઉપર છે ત્યારે તેમની સાથે વાતચીત કરતાં આર કે સિંહાએ જણાવ્યું હતું કે આપણે મરણના દાખલામાં ક્યારે કોઈ મૃત્યુનું કારણ લખતા નથી. તો સર ટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટનો સંપર્ક સાધતા જવાબ આપવાને બદલે RMO ને પૂછો કહીને વાત પુરી કરી હતી. ત્યારે હોસ્પિટલના RMO આદેસરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મરણ બાદ આપવામાં આવતા ફોર્મમાં ક્યારેય કોઈના મૃત્યુનું કારણ દર્શાવવામાં આવતું નથી. જો કે સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે સરકારના નિર્દેશ મુજબ મરણના દાખલામાં કે હોસ્પિટલના ફોર્મમાં નોંધવામાં આવતું નથી કે કોરોનાથી મોત છે કે કોમોરબીડથી મોત છે.

કોરોનાકાળમાં 2020 માં કેટલા મરણના દાખલા નીકળ્યા અને સરકારી ચોપડે મોત

ભાવનગર શહેરમાં કોરોના કાળમાં મૃત્યુના બનાવો જોઈએ તો શહેરમાં સરકારી ચોપડે માત્ર 160 લોકોના મૃત્યુ નોંધાયા છે જ્યારે જિલ્લામાં માત્ર 138 મૃત્યુ નોંધાયા છે. આમ શહેર જિલ્લામાં મૃત્યુ આંક કોરોનાકાળનો બે વર્ષનો માત્ર 298 છે હવે 2020ના મહિના પ્રમાણે નીકળેલા મરણના દાખલા જોઈએ તો પ્રશ્ન થાય કે આ શું ? જુઓ

માસ મહિલા પુરુષ કુલ
જાન્યુઆરી 501 357 885
ફેબ્રુઆરી 439 339 778
માર્ચ 357 213 570
એપ્રિલ 348 229 577
મે 396 270 666
જૂન 446 260 706
જુલાઈ 491 253 744
ઓગસ્ટ 688 403 1091
સપ્ટેમ્બર 706 407 1113
ઓક્ટોબર 456 302 758
નવેમ્બર 417 221 638
ડિસેમ્બર 586 307 893
કુલ 5831 3561 9392

કોરોનાના ઉલ્લેખ વગરના મરણના દાખલા

ઉપર દર્શાવેલ મરણના દાખલાઓ છે જે પરથી અનુમાન કરી શકાય છે કે કોમોરબીડ કે કોરોનામાં મૃત્યુ કેટલા હશે. આ સમયમાં ભાવનગરમાં બીજી લહેરમાં રોજના કેસનો આંકડો 50 ઉપર જ રહ્યો હતો. સરકાર અને તંત્ર ક્યાંક કોરોનામાં મૃત્યુ પામેલાને દાખલા તો મળી ગયા પણ કોરોનાનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી.

આ પણ વાંચોઃ એક જ સિસ્ટમ હોવા છતાં 2 લેબોરેટરીના રિપોર્ટ કેમ અલગ પડે છે? મહુવામાં ETV Bharatની ટીમે કરી વિશેષ ચકાસણી

આ પણ વાંચોઃ ભાવનગરમાં 207 બિલ્ડિંગ ભયજનક : મહાનગરપાલિકા બિલ્ડિંગ સહિત અન્ય ઇમારતો જર્જરિત

Last Updated :Sep 7, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.