ETV Bharat / city

ભાવનગરમાં યુવક પંખે લટકેલી હાલતમાં મળ્યો, લૂંટ માટે હત્યા કરાયાની આશંકા

author img

By

Published : Dec 28, 2019, 4:01 AM IST

Updated : Dec 28, 2019, 4:23 AM IST

robbery with murder in bhavnagar
robbery with murder in bhavnagar

ભાવનગરઃ શહેરના રિંગ રોડ પર બાલ યોગીનગરમાં યુવક પંખે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘરમાંથી ઘરેણાં તથા રોકડ ચોરી કર્યા બાદ હત્યા કરી હોવાની શંકા થતા યુવકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી.

ઘોઘા રોડ રિંગ રોડ પર બાલયોગીનગરમાં જીતેન્દ્રસિંહ ગોહિલનો મૃતદેહ તેના ઘરમાં પંખે લટકેલી હાલતમાં મળ્યો હતો. પરિવારમાં પત્ની અને બાળકો બહાર ગયા હતા ત્યારે તેમનો મૃતદેહ ઘરમાં મળી આવ્યો હતો. ઘરમાં સોનાના ઘરેણા અને રોકડ ચોરાઈ હોવાની પરિવારને શંકા જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં યુવક પંખે લટકેલી હાલતમાં મળ્યો, લૂંટ માટે હત્યા કરાયાની આશંકા

ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ રોડ પર આવેલી તેજસ્વી પ્રાથમિક શાળાની પાછળ આવેલા બાલ યોગીનગરમાં રહેતા અને એક સોનીની દુકાનમાં નોકરી કરતા હિતેન્દ્રસિંહ હેમુભા ગોહિલનો મૃતદેહ તેમના ઘરમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતો. આ અંગે ઘરના સભ્યોને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ઘરમાં જે પ્રમાણે બધી વસ્તુઓ વેર વિખેર હાલતમાં હતી, તેમજ પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ઘરમાંથી દાગીના સહિતનો કિંમતી સામાન ગાયબ હતો. જેથી પરિવારજનોએ હત્યા સાથે ચોરીની શંકા જતાવી છે. આ દિશામાં પોલીસે હાલ મૃતકના ભાઈની ફરિયાદ લઈ અને વધુ તપાસ હાથધરી છે.

Intro:શહેરના રિંગ રોડ પર બાલયોગીનગરમાં યુવક પંખે લટકાયેલી હાલતમાં મળ્યો તો ઘરેણાં રોકડ ગાયબ : હત્યા લૂંટની શંકાBody:ઘોઘા રોડ રિંગ રોડ પર બાલયોગીનગરમાં જીતેન્દ્રસિંહ ગોહિલનો મૃતદેહ તેના ઘરમાં પંખે લટકાયેલી હાલતમાં મળ્યો હતો. પરિવારમાં પત્ની અને બાળકો બહાર ગયા હતા ત્યારે તેનો મૃતદેહ મળતાં અને ઘરમાં સોનાના ઘરેણાં અને રોકડ નહિ હોવાના પરિવારે આક્ષેપ કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.Conclusion:ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ રોડ પર આવેલ તેજસ્વી પ્રાથમિક શાળાની પાછળ આવેલ બાલયોગીનગરમાં રહેતા અને એક સોનીની દુકાનમાં નોકરી કરતા હિતેન્દ્રસિંહ હેમુભા ગોહિલની તેમના ધરમાંથી પંખા સાથે દોરડા વડે લટકતી હાલતમાં લાશ મળી આવી છે, આ અંગે ઘરના સભ્યોને જાણ થતા તેને પોલીસને જાણ કરી હતી અને બનાવની જાણ થતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ આરંભી હતી, ઘરમાં જે પ્રમાણે બધી ચીઝ વસ્તુઓ વેર વિખેર છે હાલતમાં મળી આવી તેમજ પરિવારજનો ના જણાવ્યા પ્રમાણે ઘરમાંથી દાગીના સહિતનો મુદામાલ ગાયબ હોય પરિવારજનોએ આશંકા જતાવી છે કે યુવકની હત્યા થઇ હોવી જોઈએ અને તે દિશામાં પોલીસે હાલ મૃતકના ભાઈ ની ફરિયાદ લઇ અને તપાસ આરંભી છે.

પરિવારજનો ના જણાવ્યા મુજબ હિતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ સોનીની દુકાન ધરાવતા હર્ષદરાય ગીરધરલાલને ત્યાં નોકરી કરતો હતો પરિવારમાં બે બાળકો છે, ઘટના બની ત્યારે તેમના પત્ની નજીકમાં રહેતા તેમના બહેનના ધરે ગયા હતા. જો કે જે પ્રમાણે લાશ મળી છે અને ઘરવખરી વેરવિખેર અને દાગીના ગાયબ છે તે મુજબ હાલ પોલીસ મૃતકના ભાઈ ની ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે.
Last Updated :Dec 28, 2019, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.