ETV Bharat / city

Bhavnagar Murder Case: સરિતા સોસાયટીમાં ચાર્મીની હત્યા કરનારા આરોપી પતિ અને તેના મિત્રને આજીવન કેદ

author img

By

Published : Apr 23, 2022, 11:42 AM IST

Bhavnagar Murder Case: સરિતા સોસાયટીમાં ચાર્મીની હત્યા કરનારા આરોપી પતિ અને તેના મિત્રને આજીવન કેદ
Bhavnagar Murder Case: સરિતા સોસાયટીમાં ચાર્મીની હત્યા કરનારા આરોપી પતિ અને તેના મિત્રને આજીવન કેદ

ભાવનગરમાં ગયા વર્ષે 19 વર્ષીય યુવતી ચાર્મીની હત્યા કરનારા (Charmi's murder in Sarita Society) આરોપીને કોર્ટે આજીવન કેદની સજા (Accused of murder in Bhavnagar jailed for life) ફટકારી છે. ચાર્મી તેના પિતાના ઘરે હતી. તે દરમિયાન તેના પતિ અને મિત્ર તેની હત્યા કરીને ભાગી ગયા હતા.

ભાવનગરઃ શહેરની સરિતા સોસાયટીમાં ચાર્મીની હત્યા કરનારા (Charmi's murder in Sarita Society) આરોપી પતિ વિશાલ વાઘેલા અને તેના મિત્રને કોર્ટે આજીવન સજા ફટકારી છે. ભાવનગરમાં ગઈ દિવાળીએ 19 વર્ષીય યુવતી ચાર્મીના પિતાના ઘરમાં ઘૂસી ચાર્મીના પતિ અને તેની મિત્રએ તેની હત્યા (Bhavnagar Murder Case) કરી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. જ્યારે કોર્ટે બંને આરોપીને આજીવન કેદની (Accused of murder in Bhavnagar jailed for life) સજા ફટકારી છે.

સરિતા સોસાયટીમાં થઈ હતી હત્યા- આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરની સરિતા સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ નાવડીયાની પૂત્રીની હત્યા (Charmi's murder in Sarita Society)કરવામાં આવી હતી. ચાર્મી નાવડીયા તેના પતિ વિશાલ વાઘેલાથી ઝઘડાના કારણે પિતાના ઘરે હતી. તેવા સમયે ગત નવેમ્બર મહિનામાં આરોપી વિશાલ અને તેના મિત્રએ ચાર્મીની ઘાતકી હત્યા (Bhavnagar Murder Case) કરી હતી. જ્યારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ

શું હતી ઘટના - સરિતા સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ નાવડીયાની પુત્રી ચાર્મીએ 19 વર્ષની ઉંમરે પ્રેમ લગ્ન કર્યા હતા. ચાર્મીને લગ્ન બાદ પોતાના પ્રેમી અને વિશાલ વિશે કેટલીક હકીકતો મળતા તે પોતાના પિતાના ઘરે રહેવા આવી હતી. આ સમયમાં ગત 4 નવેમ્બર 2020એ આશરે બપોરના 12 વાગ્યે આસપાસ ચાર્મીનો પતિ વિશાલ વાઘેલા અને તેનો મિત્ર કલ્પેશ ચાર્મીના પિતાના ઘરમાં ઘૂસીને ચાર્મીની હત્યા (Charmi's murder in Sarita Society) કરી ભાગી ગયા હતા.

આ પણ વાંચો- Patan Murder Case: પાટણના ભાઈ ભત્રીજી હત્યા કેસમાં કોર્ટે પીડિત મહિલાને શું રાહત આપી, જાણો

કોર્ટે શુ સજા ફટકારી આરોપીઓને અને શું હતા મૃતક ચાર્મીના પરિવારના આક્ષેપ - ચાર્મીના પરિવારે ઘટનાના સમયે આરોપો કર્યા હતા. મૃતક ચાર્મીના કાકાએ ચાર્મીના પતિ વિશાલ અને તેની માતા સામે દેહવ્યાપારનો આક્ષેપ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં ધમકીઓ અપાતી હોવાથી અરજીઓ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે, આરોપી પકડાય તે પહેલાં તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટમાં કેસ ચાલી જતા ભાવનગર જિલ્લા કોર્ટે આરોપી વિશાલ વાઘેલા અને તેના મિત્ર કલ્પેશને આજીવન કેદની (Accused of murder in Bhavnagar jailed for life) સજા ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.