ETV Bharat / city

Bhavnagar Congress : કોંગ્રેસે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આવે તે માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ

author img

By

Published : Apr 15, 2022, 4:38 PM IST

Bhavnagar Congress : કોંગ્રેસે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આવે તે માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ
Bhavnagar Congress : કોંગ્રેસે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આવે તે માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ

ભાવનગરમાં કોંગ્રેસે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આવે તે માટે રોડ પર હનુમાન ચાલીસાના (Congress Recited Hanuman Chalisa) પાઠ કર્યા હતા. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાધાણીનું કોંગ્રેસે (Bhavnagar Congress) નાક કાપ્યાનું પણ સામે આવ્યું છે.

ભાવનગર : ભાવનગર શહેરમાં કોંગ્રેસે (Bhavnagar Congress) ભાજપ સામે ચૂંટણીનો પ્રારંભ પ્રહાર કરવાનો કરી દીધો છે. શહેરના મુખ્ય કહેવાતા નિલમબાગ ચોકમાં ભારે ગરમી વચ્ચે હનુમાન ચાલીસાના પાઠ (Congress Recited Hanuman Chalisa) રાખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ રોડ પર સી.આર. પાટીલ અને જીતુ વાઘાણીના રોડ પર નાક કપાયા હોય તેવા પોસ્ટરો લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેને લઈને હવે કોંગ્રેસ રસ્તા પર દેખાશે.

કોંગ્રેસે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આવે તે માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ

આ પણ વાંચો : Animal Control Act: વિધાનસભામાં પાસ થયેલો પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની કોંગ્રેસે કરી માંગ

નિલમબાગ ચોકમાં ભારે તડકામાં વિરોધ - ભાવનગરના નિલમબાગ ચોક, નંદકુવરબા શાળાના દીવાલ ભાગે કોંગ્રેસે જાહેરમાં હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત યુવા નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 11 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસે હનુમાન ચાલીસાનું પઠન (Congress on Road in Bhavnagar) કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થઇ ચુક્યો છે તેને લઈને ધ્યાનમાં લઈને રોડ પર ઉતર્યા તેવું કહેવું કશું ખોટું નથી.

કોંગ્રેસે પાટીલ-વાઘાણીન્ં નાક કાપી ભાજપના નેતાઓને સદબુદ્ધિ માટે હનુમાન ચાલીસાના પાઠ કર્યા
કોંગ્રેસે પાટીલ-વાઘાણીન્ં નાક કાપી ભાજપના નેતાઓને સદબુદ્ધિ માટે હનુમાન ચાલીસાના પાઠ કર્યા

આ પણ વાંચો: Protest Of Maldhari Samaj : રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરતો માલધારી સમાજ, ચીમકી આપી

કોંગ્રેસે નાક કાપ્યા - વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે પ્રહારો કરવામાં કોઈ કસર નહિ છોડે તેવું લાગી રહ્યું છે. મોંઘવારીના મુદ્દે દબાઈ રહ્યો છે એવામાં હવે હિંદુત્વના મુદ્દે કોંગ્રેસને પણ મોકો મળી ગયો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે હિન્દુત્વની વાતું કરવા વાળા ભાજપના લોકોને ગીતાનું જ્ઞાન નથી. કૃષ્ણ અને સુભદ્રાના સંબંધને બદલી નાખનાર ભાજપના નેતાઓ હવે શાળામાં ગીતાનું જ્ઞાન આપશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી જેને ગુજરાતમાં ના ભણવું હોય તે બીજા રાજ્યમાં જતા રહે તેવી વાતો કરે છે. કોંગ્રેસે એટલે ભાજપના નેતાઓને સદબુદ્ધિ (Congress Attacks BJP in Bhavnagar) આવે તે માટે હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.