ETV Bharat / city

બોટાદ બરવાળા લઠ્ઠાકાંડમાં સમીર પટેલ સહિત તમામની આગોતરા જામીન અરજી ના મંજુર

author img

By

Published : Aug 12, 2022, 7:55 PM IST

બોટાદ બરવાળા લઠ્ઠાકાંડમાં સમીર પટેલ સહિત તમામની આગોતરા જામીન અરજી ના મંજુર
બોટાદ બરવાળા લઠ્ઠાકાંડમાં સમીર પટેલ સહિત તમામની આગોતરા જામીન અરજી ના મંજુર

ભાવનગરના બોટાદ તાલુકાના લઠ્ઠાકાંડમાં(Botad Latta Incident) ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ બાર સરકાર એક્શન મોડેમ આવતા 10 લોકોની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. AMOS કંપનીના માલિક(Owner of AMOS Company) સમીર પટેલ સામેલ હોય જેની આગોતરા જમીન અરજી સહીત અન્ય આરોપીઓની જમીન અરજી સામે બોટાદની શેસન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.

ભાવનગર બોટાદના લઠ્ઠાકાંડમાં ગયેલા લોકોના જીવ બાદ સરકાર એક્શનમાં આવી છે. જેમાં 10 લોકોની સામે ગુન્હો નોંધી તપાસ આદરી હતી. AMOS કંપનીના માલિક(Owner of AMOS Company) સમીર પટેલ પણ સામેલ હોય જેની આગોતરા જામીન અરજી સહિત અન્ય આરોપીની જામીન અરજી સામે બોટાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના(Barwala Taluka of Botad District) લઠ્ઠાકાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા કેમિકલ કંપનીના માલિક સમીર પટેલ સહિત 5 લોકોના આગોતરા જામીન નામંજૂર(Anticipatory bail denied) થયાં છે. લઠ્ઠાકાંડ મામલે બોટાદ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે.

આ પણ વાંચો ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ, પોલીસ દોડતી થઈ

કોઈપણ પોલીસ સ્ટેશનમાં હાજર ન થતા લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડની ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે. રાજકીય પક્ષોએ મુદ્દો પણ બનાવ્યો છે, ત્યારે આ સમગ્ર ઘટનામાં કેમિકલનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ત્યાંથી કેમિકલ લાવવામાં આવ્યું હતું. તે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકો મળી કુલ 5 લોકોને પોલીસ દ્વારા સમન્સ પાઠવી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવેલું પણ સમીર પટેલ સહિત કોઈપણ પોલીસ સ્ટેશનમાં હાજર ન થતા લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. આમ છતાં સમીર પટેલ સહિત અન્ય 4 લોકો હાજર થયા ન હતા.

આ પણ વાંચો Botad Lattha kand કૉંગ્રેસે લઠ્ઠાકાંડને લઇને ભાજપ પર લગાવ્યા આરોપ

સમીર પટેલ તેમજ અન્ય 4 લોકો મળી કુલ 5 લોકોએ બરવાળા તેમજ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હાને ધ્યાને રાખી બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેને લઈ તારીખ 6 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ 2022ના રોજ વકીલોની દલીલ બાદ આજે બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા તમામ બન્ને રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશનની મળી કુલ 10 આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.