ETV Bharat / city

પાટડી ખાતે પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપાઇ

author img

By

Published : Feb 15, 2021, 9:09 AM IST

શહીદોને શ્રદ્ધાંજલિ
શહીદોને શ્રદ્ધાંજલિ

પાટડીમાં મહાત્મા ગાંધીના બાવલા સર્કલ ઉપર પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ પર રાત્રે આઠ વાગયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 101 દીવાની દીપમાળા પ્રગટાવી બે મિનિટ મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

  • પાટડીમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ
  • 101 દિવાની દીપમાળા પ્રગટાવી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ
  • બે મિનીટનું મૌન પાળીનો શહીદોની આત્માની શાંતિ માટેે પ્રાર્થના

    અમદાવાદ : પાટડી ખાતે પુલવામાં શહીદ થયેલા જવાનોની દ્વિતીય પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 101 દીવાની દીપમાળા પ્રગટાવી બે મિનિટ મૌન રાખી શહીદોની આત્માને શાંતિ મળે તથા આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી ન બને એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
    શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ


    આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત હતા
    શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચિંતન મહેતા તાલુકા સંયોજક SVGRYB પાટડી, ભરત પંડયા, સુરેશભાઈ હદાણી, ચિરાગભાઈ ધામેચા, તથા ગામના આગેવાન યુવાઓ, પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.