ETV Bharat / city

ગુજરાત પરથી તૌકતેનું સંકટ ટળ્યું, રાજસ્થાન તરફ આગળ વધી ઉત્તર પ્રદેશમાં સમી જશે

author img

By

Published : May 19, 2021, 4:03 PM IST

ગુજરાત પરથી તૌકતેનું સંકટ ટળ્યું
ગુજરાત પરથી તૌકતેનું સંકટ ટળ્યું

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ટૌકતે વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે હજુ પણ આજે બુધવારે થોડા કલાકો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

  • તૌકતે વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું
  • રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું
  • ઉત્તર પ્રદેશમાં થઇને શાંત થઈ શકે છે વાવાઝોડું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જોકે, હાલ ગુજરાત પરથી વાવાઝોડાનું સંકત તળી ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ રાજ્યમાં ફરી વાતાવરણ સ્વચ્છ થઈ જશે અને ફરી ગરમીનો અહેસાસ પણ શહેરીજનો તેમજ રાજ્યના નાગરિકોને કરવો પડશે.

ગુજરાત પરથી તૌકતેનું સંકટ ટળ્યું
ગુજરાત પરથી તૌકતેનું સંકટ ટળ્યું

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

આ વાવાઝોડાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સંકેત પણ આપી દેવામાં આવ્યાં છે કે, તૌકતે વાવાઝોડું ગુજરાતથી આગળ વધી રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. જેના લીધે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આ વાવાઝોડું ઉત્તરપ્રદેશમાં શાત થઈ શકે છે તેવી શક્યતા છે.

ગુજરાત પરથી તૌકતેનું સંકટ ટળ્યું

આ પણ વાંચોઃ તૌકતેના પગલે ગાંધીનગર જિલ્લામાં 24 કલાકમાં 263 મિમી કમોસમી વરસાદ નોંધાયો

માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બનાસકાંઠાના પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.