ETV Bharat / city

સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું- વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શું સંદેશો જશે

author img

By

Published : Aug 6, 2020, 7:09 PM IST

ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાનું વકીલ તરફે સિનિયર પદ ખેંચી લેતા તેમણે આ મુદ્દે સ્ટે મેળવવા માટે કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું છે કે, જો વરિષ્ઠ વકીલ જ સંસ્થા આદર દાખવશે નહીં તો જુનિયરોને શું સંદેશો જશે.

સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શો સંદેશો જશે
સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શો સંદેશો જશે

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે યતીન ઓઝા દ્વારા આક્ષેપ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ યોગ્ય નથી. યતીન ઓઝા એ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે માફી માગી લીધી છે. જો કે, કોર્ટે કહ્યું કે વરિષ્ઠ વકીલ જ આવું વર્તન કરશે તો જુનિયરોમાં શું સંદેશો જશે.

સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શો સંદેશો જશે
સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શો સંદેશો જશે
સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, યતીન ઓઝા અગાઉ પણ આ પ્રકારની માફી માગી ચૂક્યાં છે અને વારંવાર આ પ્રકારની ભૂલ કરે છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને હાઇકોર્ટ સમક્ષ ફરીવાર માફીનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાના માફીનામાને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લેવાનો ગુજરાત હાઈકોર્ટને આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શો સંદેશો જશે
યતીન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, વકીલોની પીડાને લીધે તેઓ ભાવનાત્મક થઈ આવું બોલી ગયાં હતાં. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાવના બીજા સ્વરૂપમાં પણ વર્ણવી શકાય છે.ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ યતીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના તેમના સિનિયર વકીલ તરીકેના પદને પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે યતીન ઓઝાના વર્તનની ગંભીર નોંધ લેતા કહ્યું કે, માત્ર માફી પત્રથી કામ ચલાવી લેવાશે નહીં તેમની શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને તેને આધાર રાખીને 32 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા યતીન ઓઝાનું સિનિયર પદ પરત ખેંચી લેવામાં આવ્યું છે.સુપ્રીમ કોર્ટમાં યતીન ઓઝા તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે જે ટિપ્પણી કરી છે એ ન્યાયપાલિકા કે ન્યાયાધીશ વિરુદ્ધ નહીં પરંતુ રજીસ્ટ્રીની કામગીરી અને તેમાં થતાં ભ્રષ્ટાચાર વિશે કરી છે. નોંધનીય છે કે, આ અંગે યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં.યતીન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ અંગેની તપાસ કરાવી હતી. જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયાં હતાં. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનું ફગાવી દીધું હતું. યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે, ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.