Royal Gold Medal : જે કામ અત્યાર સુધી કોઈ ન કરી શક્યાં તે કરી બતાવ્યું અમદાવાદના આ મહાનુભાવે

author img

By

Published : May 10, 2022, 8:38 PM IST

Royal Gold Medal : જે કામ અત્યાર સુધી કોઈ ન કરી શક્યાં તે કરી બતાવ્યું અમદાવાદના આ મહાનુભાવે

બાલકૃષ્ણ દોશી લંડન મહારાણી દ્વારા રોયલ ગોલ્ડ મેડલથી (Royal Gold Medal)સન્માનિત કરવામાં આવ્યા છે. બાલકૃષ્ણ દોશી પદ્મવિભૂષણ અને રોયલ ગોલ્ડ મેડલ મળ્યો તેવા પહેલા વ્યક્તિ બન્યાં છે.

અમદાવાદ : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા દેશના નામાંકિત આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીએ(Indias famous architect Balakrishna Doshi ) દેશનું નામ રોશન કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીમાં અસંખ્ય જગ્યાએ આર્કટેક્ટ તરીકે કામ કર્યું છે. જેમાં અમદાવાદ પ્રેમાભાઈ હોલ, અમદાવાદની ગુફા, IIM બેંગ્લોર જેવી જગ્યાઓના નામ પણ બોલે છે.

જીવનના છ દાયકાની કામગીરી બિરદાવાઇ

2020માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં - બાલકૃષ્ણ દોશી પોતાના જીવનકાળ દરમિયાન રોયલ ગોલ્ડ મેડલ (Royal Gold Medal) ને આર્કિટેક્ચર ક્ષેત્રે નોબલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિત્ઝર આર્કિટેકચર પ્રાઇઝ એ બંને અત્યંત પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર એક માત્ર વ્યક્તિ છે. તેમને પોતાના કામમાં અમૂલ્ય યોગદાન બદલ 2020માં પદ્મવિભષણથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ પોતાના 94મા જન્મદિવસની ઉજવણી કરી

ઇંગ્લેન્ડના મહારાણી તરફથી સન્માન મળવું એ મારા માટે સૌભાગ્યની વાત છે - તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મેડલ મને ઇંગ્લેન્ડના મહારાણી (Queen of England) તરફથી મળવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. આ મારા માટે મહાન સન્માન છે. આજે છ દાયકા પછી મારા ગુરુ લા કબુર્ઝિયરની જેમ મને પણ મારા જીવનના છ દાયકાની કામગીરી બાદ બિરદાવવા માટે આ સન્માન (Royal Gold Medal to Padma Vibhushan Balakrishna Doshi)આપવામાં આવ્યું છે.

આ મારા માટે મહાન સન્માન છે
આ મારા માટે મહાન સન્માન છે

આ પણ વાંચોઃ આ ગુજરાતી મહાનુભવોને પદ્મશ્રી અને પદ્મભૂષણથી કરાશે સન્માનીત

100થી વધુ પ્રોજેક્ટમાં કામ કર્યું છે -બાલકૃષ્ણ દોશીએ પોતાની કારકિર્દીમાં 100થી વધુ પ્રોજેક્ટ (Balakrishna Doshi's projects )પર કામ કર્યું છે.જેમાં ભારતના સ્થાપત્ય,આબોહવા, સ્થાનિક સંસ્કૃતિ, હસ્તકલા, સાંસ્કૃતિક સુવિધાઓ,આવાસ વિકાસ અને રહેણાંક ઇમારતો જેવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે.સાથે સાથે વિશ્વભરની યુનિવર્સિટીઓમાં વિઝિટીગ પ્રોફેસર તરીકેના શિક્ષણ કાર્ય માટે પણ જાણીતા છે.

અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું છે - બાલકૃષ્ણ દોશીએ અમદાવાદના અનેક પ્રોજેક્ટ (Balakrishna Doshi's projects in Ahmedabad)પર કામ કર્યું છે. જેમાં શ્રેયસ કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ કેમ્પસ, અટીરા ગેસ્ટ હાઉસ, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેકચર, ટાગોર હોલ એન્ડ મેમોરિયલ થિયેટર, પ્રેમાભાઈ હોલ, કનોરિયા સેન્ટર ફોર આર્ટસ અને અમદાવાદની ગુફા જેવા પ્રોજેક્ટ પર કામ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.