ETV Bharat / city

પીએમ મોદી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફર શરુ કરાવી શું બોલ્યાં જૂઓ

author img

By

Published : Sep 30, 2022, 5:47 PM IST

Updated : Sep 30, 2022, 7:01 PM IST

પીએમ મોદી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફર શરુ કરાવી શું બોલ્યાં જૂઓ
પીએમ મોદી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફર શરુ કરાવી શું બોલ્યાં જૂઓ

પીએમ મોદીએ ગાંધીનગર અને મુંબઈ (Vande Bharat train Gandhinagar and Mumbai) વચ્ચે હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન (Vande Bharat Express train) પ્રસ્થાન કરાવી છે. સાથે જ પીએમ મોદીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરુઆત પણ કરાવી છે. જે બાદ તેમણે આ બંને ટ્રેનની સફરનો અનુભવ અનોખી અદામાં વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ ગુજરાત પ્રવાસમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટો અંગેના કામ સંપન્ન કરાવ્યાં છે.આજે તેમણે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન (Vande Bharat Gandhinagar) અને અમદાવાદમાં અમદાવાદ મેટ્રો ટ્રેન શરુ કરાવી હતી.પીએમ મોદીએ દેશમાં જ બનેલી અત્યંત આધુનિક અને હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ( Vande Bharat Express train ) ગાંધીનગરથી મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્પીડ 180 પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતને મળી પ્રથમ વંદે ભારત ટ્રેન દેશની ત્રીજી અને ગુજરાતને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express train) 30 સપ્ટેમ્બરથી ગાંધીનગર અને મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) વચ્ચે શરૂ થઈ ગઇ છે.પીએમ મોદીના હસ્તે પ્રારંભ થયેલી આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. વંદે ભારત ટ્રેનનું ભાડું રૂપિયા 1200 તેમજ એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું રૂપિયા 2500 નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

તેની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક જ છે. ટ્રેનની સીટ 180 ડિગ્રી સુધી ફરી શકશે. સેમી ઓટોમેટીક ફુલ એસીથી સજજ છે. આ ટ્રેનમાં કુલ 16 હશે જેમાં 78 સીટ સામાન્ય કોચમાં હશે. આ ટ્રેનની અંદર એકસાથે અંદાજિત 1200 જેટલા પેસેન્જર પ્રવાસી કરી શકે છે. વાઇફાઇ, AC, ચાર્જિંગ સોકેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત GPS, ઓટોમેટીક દરવાજા અને સીસીટીવી કેમેરાથી સજ્જ ટ્રેન છે.

વંદે ભારતમાં સવારી કરી કાલુપુર પહોંચ્યાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાં તેમાં સવારી કરીને કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતાં. ત્યારપછી તેમને અમદાવાદમાં મેટ્રો ટ્રેન ( Ahmedabad Metro )ને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતું. બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ લોકો અને પાયલટ સાથે પણ ચર્ચા કરી હતી.

બંને ટ્રેનની સફરનો અનુભવ અનોખી અદામાં વ્યક્ત કર્યો

પીએમ મોદી અમદાવાદ મેટ્રો ટ્રેન ઉદઘાટન સ્પીચ પીએમ મોદીએ પોતાની ટ્રેન સફરના અનુભવ ( PM Modi Speech After Trains Inauguration ) ને વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજ મેટ્રો ( Ahmedabad Metro ) 32 કિમિ યાત્રા શરૂ થઈ છે.ભારતમાં પહેલી વાર રેકોર્ડ બન્યો કે એક સાથે 32 કિમિ રૂટ પર મેટ્રો ચાલુ થઈ છે. ફેજ 2 મા અમદાવાદ ગાંધીનગર કનેક્ટ થશે. વંદે ભારત મુંબઈ ગાંધીનગર સફર ઝડપી બનાવશે. શતાબદી ટ્રેનમાં 7 કલાક લાગતો હતો. ગાંધીનગરથી મુંબઈ હવે 6 કલાક પહોંચશે. આવનાર સમયમાં આનાથી વધુ સ્પીડવાળી બનશે. હાલમાં સૌથી વધુ ટ્રેન ટીકીટ વહેંચાઈ રહી છે. 7000 વધુ ઇલેક્ટ્રિક બસ માટે 3500 કરોડની સહાય આપી રહી છે.આજ ગુજરાતમાં 800 બસો આપવામાં આવી છે.જેમાંથી અનેક બસો શહેરના રસ્તા પર દોડી રહી છે. આવનાર વર્ષે ઓગસ્ટમા 75 વંદે ભારત ટ્રેન ચલાવવાના લક્ષ્યાંક પર કામ કરવામાં આવી રહ્યું છે. વંદેભારત 52 સેકન્ડ 100 કિમિ ઝડપ પકડી શકે છે. મેટ્રો ( PM Modi Metro train journey in Ahmedabad ) સફર માટે નહીં પણ મેટ્રો સફળતા માટે પણ કામ આવવી જોઈએ.

20 મિનિટ વહેલા પહોંચ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે આ 21 સદીમાં ભારત માટે અર્બન કનેક્ટિવિટી, આત્મનિર્ભર ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે. આજ ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂઆત થઈ છે. આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે જે અવાજ આવે છે તેનાથી 100 ગણો ઓછો અવાજ વંદે ભારતમાં જોવા મળ્યો હતો. આજે ગાંધીનગરથી થલતેજ આવતા જે સમય જાય છે.તેનાથી ખૂબ જ ઓછો સમય ગયો હતો. મારા કાર્યક્રમ સમય મુજબ હું આ ( PM Modi Metro train journey in Ahmedabad )જ સભામાં 20 મિનિટ વહેલો પહોંચ્યો છું.

દેશના શહેર આધુનિક બનવા જોઈએ પીએમ મોદીએ વધુ ઉમેર્યું હતું કે વંદે ભારત ટ્રેન અને મેટ્રોની શરૂઆત થતા જ અમદાવાદથી સુરત વડોદરા અને મુંબઈ જેવા શહેરોને નવી ગતિ મળશે જેથી વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે દેશના અન્ય શહેરો પણ આધુનિક બનવા જોઈએ આગામી એક વર્ષમાં દેશના વધુ 75 સ્વદેશી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ રેલવે સ્ટેશન આધુનિક બનશે વડાપ્રધાને દેશના ત્રણ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાનું નિર્ણય કર્યો છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા 10000 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યો છે. જેમાં દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોને સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં તૈયાર થયેલું રેલ્વે સ્ટેશન દુનિયાના સૌથી સારા એરપોર્ટની સરખામણીમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનની સરખામણી થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના શહેરના રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. દેશના અનેક શહેરો છે. જે આવનાર 25 વર્ષમાં દેશના વિકાસ માટે ખૂબ મોટો ફાળો હશે.

બાળકોને મેટ્રો સ્ટેશન બતાવવા જરૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12 ધોરણના બાળકોને મેટ્રો ( PM Modi Metro train journey in Ahmedabad ) સ્ટેશનમાં માત્ર મુસાફરી માટે જ નહીં પણ બાળકોને મેટ્રો સ્ટેશન કરવી રીતે બન્યું, કઈ ટેકનોલોજી ઉઓયોગ કરવામાં આવ્યો છે, કેવા પ્રોજેકટ પર કામ કરવામાં આવ્યું છે. તેની માહિતી મેટ્રો વિભાગ પાસે મેળવે તે જરૂરી છે.જેથી બાળકને પણ ખ્યાલ આવે કે મેટ્રો કેવી રીતે બની છે.

ટ્વીન સિટી તરીકે ઓળખાશે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પહેલા વિદેશમાં જ ટ્વીન સીટી તરીકે ઓળખાતા હતા. પણ હવે અમદાવાદ - ગાંધીનગર ટ્વીન સીટી તરીકે ઓળખ ઉભી કરી છે.આગામી સમયમાં મહેસાણા- કડી, આણંદ-નદીઆદ, સુરત-અંકલેશ્વર જેવા શહેરો પણ ટ્વીન સિટી તરીકે ઓળખ ઉભી કરશે.

Last Updated :Sep 30, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.