ETV Bharat / city

અમદાવાદમાં લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન, કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા

author img

By

Published : Oct 28, 2021, 10:50 PM IST

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (National Legal Services Authority) દ્વારા 02 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી એટલે કે સતત 44 દિવસ સુધી પાન ઈન્ડિયા અવેરનેસ (Pan India Awareness And Outreach Campaign) અને આઉટરીચ કેમ્પેઈન ચાલી રહ્યુ છે. પાન ઇન્ડિયા અવેરનેસ કેમ્પઈન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (District Legal Services Authority Board), અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા એલ. જે. સ્કુલ ઓફ લૉમાં લૉ સ્ટુડન્ટ માટે એક લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન, કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા
અમદાવાદમાં લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન, કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા

  • અમદાવાદમાં એલ.જે. સ્કૂલ ઓફ લો દ્વારા લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
  • પ્રોગ્રામમાં કેન્દ્રીય પ્રધાન કિરન રિજિજુ ઉપસ્થિત રહ્યા
  • ગરીબીને કારણે કોઈ કેસ ન લડી શકે એવું ના થાય તે પ્રાથમિકતા

અમદાવાદ: નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી (NALSA), સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court Of India), નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (Gujarat State Legal Services Authority), અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav of Independence)ની ઉજવણીના ભાગરૂપે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા 02 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી એટલે કે સતત 44 દિવસ સુધી પાન ઈન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન ચાલી રહ્યુ છે. જેના અનુસંધાનમાં વિવિધ કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય મહેમાન તરીકે કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા

પાન ઇન્ડિયા અવેરનેસ કેમ્પઈન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા એલ. જે. સ્કુલ ઓફ લૉમાં લૉ સ્ટુડન્ટ માટે એક લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રીજીજુએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા ભારતના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે 02 ઓક્ટોબરના રોજ નાલ્સા દ્વારા પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી હતી.

ન્યાયાધીશોની નિમણૂક બાબતે કિરણ રિજીજુએ આપ્યું નિવેદન

તેમણે કહ્યું હતું કે અમે નિશ્ચિત કર્યું છે કે, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં અને સરકારની સહાયથી દેશભરમાં ફ્રી લીગલ અવેરનેસ ચલાવવામાં આવશે. ગરીબીને કારણે કોઈ કેસ ના લડી શકે એવું ન થાય એ પ્રાથમિકતા રહેશે. ગુજરાતના સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માધ્યમથી સરસ કામ ચાલી રહ્યું છે. દેશના ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ મામલે તેમણે કહ્યું કે, ન્યાયાલયમાં 101 જજીસની એપોઇન્ટમેન્ટ 25 તારીખના પૂર્ણ કરી છે. વર્ષના અંત સુધીમાં રેકોર્ડ એપોઇન્ટમેન્ટ પૂર્ણ કરીશું.

પોક્સો એક્ટ ઉપર ભાર

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઈકોર્ટના પબ્લિક પ્રોસીક્યુટર મીતેષ અમીન તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ આર.એ.ત્રિવેદીએ મુખ્યત્વે પોક્સો એક્ટ તથા મફત કાનૂની સહાય વિશે માહિતી આપી હતી. પબ્લિક પ્રોસીક્યુટર મીતેષ અમીન દ્વારા મુખ્યત્વે પોક્સો એક્ટમાં રહેલી જોગવાઈઓ તથા આવા ગુનાઓ થતા કેવી રીતે અટકાવી શકાય, મહિલાઓ અને બાળકીઓમાં જાગૃતિ ફેલાવીને આવા ગુનાઓ રોકી કઈ રીતે શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.

સક્ષમ કાનૂની સહાય કેવી રીતે મળી શકે તે વિશે માહિતી આપવામાં આવી

વધુમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ આર.એ.ત્રિવેદી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે મળી શકે અને કોને મળી શકે અને લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ, 1989ની જોગવાઈઓ વિષે માહિતી આપવામાં આવી હતી. લોના વિદ્યાર્થીઓને નાલ્સા દ્વારા ચાલી રહેલા પાન ઈન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: પોલીસ આંદોલન બાબતે DGP ની પત્રકાર પરીષદમાં કયાં મુદ્દાઓ પર થઇ ચર્ચાઓ તે અંગે જાણો...

આ પણ વાંચો: LRDની ભરતી માટે 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ, 9 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.