Omicron variant in gujarat: તંત્ર એલર્ટ પર, વિદેશથી અમદાવાદ આવેલા 400 લોકોને આઇસોલેશનમાં રહેવા સૂચના

author img

By

Published : Nov 30, 2021, 6:56 PM IST

Omicron variant in gujarat: તંત્ર એલર્ટ પર, વિદેશથી અમદાવાદ આવેલા 400 લોકોને આઇસોલેશનમાં રહેવા સૂચના
Omicron variant in gujarat: તંત્ર એલર્ટ પર, વિદેશથી અમદાવાદ આવેલા 400 લોકોને આઇસોલેશનમાં રહેવા સૂચના ()

કોરોના વાયરસના નવા વેરિયન્ટ 'ઓમીક્રોન'એ આખા વિશ્વમાં ભય ફેલાવ્યો છે, ત્યારે ગુજરાત (omicron variant in gujarat)માં પણ તકેદારીના ભાગરૂપે તંત્ર પગલાં લઈ રહ્યું છે. અમદાવાદમાં આવતા વિદેશી પ્રવાસીઓ (foreigners coming to ahmedabad)ને લઇને AMC સતર્ક થઈ ગયું છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ અને સ્ક્રિનિંગ (covid testing at ahmedabad airport) કરવામાં આવ્યું છે. તો SVP હૉસ્પિટલમાં કોરોના દર્દી (svp hospital ahmedabad corona)ઓ માટે બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  • ઓમીક્રોન વેરીયન્ટને લઈ અ.મ્યુ.કોનું આરોગ્ય ખાતું એક્શનમાં
  • વિદેશથી આવતા તમામ મુસાફરોને હોમ આઇસોલેશનમાં રહેવા સૂચના
  • નવા વેરીયન્ટને ધ્યાને લઇ SVP હોસ્પિટલમાં 100 બેડ રિઝર્વ કરવામાં આવ્યા

અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (omicron variant in gujarat)ને લઈ AMCનું આરોગ્ય ખાતું સતર્ક બન્યું છે. આ ઉપરાંત બેડ માટે તંત્રએ હાલથી તૈયારીઓ આરંભી દીધી છે. હાલ SVP હોસ્પિટલ (svp hospital ahmedabad corona)માં 100 બેડ કોરોના માટે રાખવામાં આવ્યા છે અને જરૂર પડે બેડનો વધારો કરવાની તાકીદ પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ (covid testing at ahmedabad airport) પર ટેસ્ટિંગમાં ભારે વધારો કરવામાં આવ્યો છે.

એરપોર્ટ પર વિદેશથી આવતા લોકોનું સઘન ચેકિંગ

અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરો (foreigners coming to ahmedabad)નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરો (foreigners coming to ahmedabad)નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી સામે આવ્યા બાદથી અમદાવાદ એરપોર્ટ પ્રશાસન એલર્ટ થઇ ગયુ છે. હાલમાં ડૉમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ (international flights at ahmedabad airport)નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને લોકોએ વેક્સિન લીધી છે કે નહીં તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. નવો વેરિયન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવી

રાજ્યમાં આ નવા વેરિયન્ટની એન્ટ્રી ન થાય તે માટે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરો (foreigners coming to ahmedabad)નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. હાલ વિશ્વમાં કોરોના અને તેના નવા વેરિયન્ટથી હાહાકાર મચ્યો છે. વિદેશમાંથી આવનારા મુસાફરોના સતત સ્ક્રીનિંગ (foreigners corona screening at ahmedabad airport)ની કામગીરી અમદાવાદ એરપોર્ટ પર હાથ ધરવામાં આવી છે.

RT-PCR ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી

સાઉથ આફ્રિકા સહિતના લગભગ એક ડઝન દેશોમાં પ્રસરેલા કોરોના વાયરસના નવા જોખમી ગણાતા સ્ટ્રેઇન ‘ઓમિક્રોન’ને ગુજરાતમાં પ્રવેશતો રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે (state health department gujarat corona) એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એરપોર્ટ સંચાલકો સાથે બેઠક યોજી હતી. સાઉથ આફ્રિકા (omicron in south africa), યુકે સહિતના યુરોપિયન દેશો, ચીન, હોંગકોંગ, સિંગાપોર, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ, મોઝામ્બિક સહિતના ‘એટ રિસ્ક’ શ્રેણીમાં મુકાયેલા દેશોમાંથી આવતા મુસાફરોનું અમદાવાદ સહિતના એરપોર્ટ ખાતે RT-PCR ટેસ્ટિંગ (rt pcr test at ahmedabad airport) કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

72 કલાકનો RTPCR ટેસ્ટ બતાવવો જરૂરી

અમદાવાદ એરપોર્ટ ખાતે રિસ્ક કન્ટ્રીઝથી આવનારા મુસાફરોને ફ્લાઇટમાં બેસતાં પહેલાં 72 કલાકનો નેગેટિવ RTPCR રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ જ રીતે અહીં એરપોર્ટ ઉપર ઉતર્યા પછી તેમના ટેસ્ટ થશે. આ ટેસ્ટ 2 પ્રકારના છે. એક ટેસ્ટ માટે રૂપિયા 2700નો ખર્ચ (rt pcr test at ahmedabad airport cost) થાય છે, જેમાં ત્રીસેક મિનિટમાં રિઝલ્ટ આવે છે. જ્યારે બીજો રેગ્યુલર ટેસ્ટ રૂપિયા 400ના ખર્ચે થાય છે. આ રિપોર્ટ નેગેટિવ આવે પછી 7 દિવસ ક્વોરન્ટાઇન અને 8માં દિવસે ટેસ્ટ કરવાનો રહેશે. 14 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે.

પોઝિટિવ આવનારા પ્રવાસીઓને આઇસોલેશનમાં રાખવાની વ્યવસ્થા

અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરો (foreigners coming to ahmedabad)નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરો (foreigners coming to ahmedabad)નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

વિદેશમાંથી આવતાં મુસાફરોનું એરપોર્ટ ઉપર ઉતરતાં જ થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ થર્મલ સ્ક્રિનિંગમાં કોઇ મુસાફરમાં કોઈપણ પ્રકારના લક્ષણો જણાશે એમને સાઇડમાં કરી આગળના ટેસ્ટ શરૂ કરાશે. કોઇ મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો એમને આઇસોલેશનમાં રાખવા માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. સાથે જ કોઇને ખાનગી હોસ્પિટલ કે અન્ય રીતે આઇસોલેશનમાં રહેવું હશે એમના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

7 દિવસ બાદ કૉર્પોરેશનમાં જમા કરાવવો પડશે RTPCR રિપોર્ટ

રિસ્ક કન્ટ્રીઝ સિવાયના વિદેશી મુસાફરોમાંથી 5 ટકાનું રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવાનું નક્કી કરાયું છે. આવા મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો અન્ય મુસાફરોને સાવચેત કરવા તમામના સંપર્ક નંબર લેવાયા છે, એટલે તરત જ એમને જાણ કરી દેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, "હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ પર ટીમને તૈનાત કરવામાં આવી છે. વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો તપાસવામાં આવી રહી છે. હાલ 400 લોકો આવેલા છે, જેમના રિપોર્ટ નેગેટિવ છે. તેમને હાલ હોમ આઇસોલેશનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ લોકોને કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, 7 દિવસ બાદ RTPCR રિપોર્ટ કરાવી કોર્પોરેશનમાં વિગત જમા કરાવવો ફરજીયાત છે. કોઈપણ પ્રકારનો નિયમનો ભંગ કરનાર સામે એપેડેમિક એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો: Omicron Variant alert in kutch: કચ્છી NRI આવવાને લઇ આરોગ્યતંત્રે નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે સતર્કતા વધારી

આ પણ વાંચો: New Omicron variant Rajkot : રાજકોટમાં વિદેશથી આવેલા 42 લોકોને ક્વોરંટાઇન કરવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.