ETV Bharat / city

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો

author img

By

Published : Jun 7, 2021, 2:30 PM IST

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો

ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja) પર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે(President of Gujarat Raj Shekhawat) ગંભીર આક્ષેપો કર્યા છે. ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja)ને રાજ શેખાવતે આર્થિક રીતે તોડી પાડવાનો થતો પ્રયાસ બંધ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કરાશે તેવી ચીમકી આપી છે.

  • ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત(President of Gujarat Raj Shekhawat)નો સૌથી મોટો આક્ષેપ
  • ગુજરાત રાજ્યના પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja) પર મોટો આરોપ
  • પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja)એ મારી પર રાખી રાજકીય કિન્નાખોરી
  • ક્રાઈમ બ્રાન્ચ ગૃહપ્રધાનના ઇશારે પરેશાન કરે છે - શેખાવત

અમદાવાદઃ ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja) ને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે(President of Gujarat Raj Shekhawat) આર્થિક રીતે તોડી પાડવાનો થતો પ્રયાસ બંધ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કરાશે તેવી ચીમકી તેમણે આપી છે. જો સમગ્ર મામલાની વાત કરીએ તો, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવત (President of Gujarat Raj Shekhawat)અમદાવાદમાં એક ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય કરે છે. જે ખાનગી સિક્યુરિટી સરકારના નિયમો અંતર્ગત રહીને ગુજરાતના યુવાનોને રોજગારી આપી રહી હોય તેવું તેમણે જણાવ્યું છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચોઃ દલિતો પર વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે આગોતરા જામીન મેળવવા રાજ શેખાવત હાઈકોર્ટના દ્વારે

કોરોના કાળ દરમિયાન તેઓએ કોવિડ દર્દીઓની ઘણી સેવા કરી

રાજ શેખાવત(President of Gujarat Raj Shekhawat)એ વધુમાં જણાવ્યું કે, ખાનગી સિક્યુરિટીથી અનેક લોકો પ્રસન્ન થયા છે અને તેઓને ખાનગી સિક્યુરિટી પ્રશંસાપાત્ર પણ મળેલા છે, તો બીજી તરફ રાજ શેખાવત(President of Gujarat Raj Shekhawat)અમદાવાદમાં એક ખાનગી હોટલ પણ ધરાવે છે. જેમાં કોરોના કાળ દરમિયાન તેઓએ કોવિડ દર્દીઓની ઘણી સેવા કરી છે. ત્યારે સરકાર શા માટે ખાનગી અદાવત રાખી રહી છે, તેનો આક્રોશ રાજ શેખાવત અને કરણી સેનામાં જોવા મળી રહ્યો છે.

ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો
ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો

રાજપૂત સમાજને એક કરવા માટે રાત-દિવસ કાર્યરત રહે છે

ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત (President of Gujarat Raj Shekhawat)જે વીરતાપૂર્વક ભારતીય સેનામાં પોતાની ફરજ બજાવી આજે જાહેર જીવનમાં સમાજ સેવા કરી રહ્યા છે. તે પોતે ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં અવારનવાર પ્રવાસ કરી રાજપૂત સમાજને એક કરવા માટે રાત-દિવસ કાર્યરત હોય તેવું તેમના આગેવાનો જણાવી રહ્યા છે.

સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં જ્યારે કોઈ પણ પરિવાર સાથે અન્યાય થાય ત્યારે ત્યાં પહોંચીને ન્યાય અપાવવા માટેની તાકાતથી અને ન્યાયિક રીતે અવાજ બુલંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં જ્યારે ગુજરાતના નાગરિકોને અન્યાય થાય ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત ત્યાં પહોંચીને ન્યાય અપાવવા માટે આંદોલન કરતા હોય છે. જે ગુજરાતની સરકારને દેખાતું ન હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે.

ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો
ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો

ગુજરાત સરકાર રાજકીય કિન્નખોરી રાખી રહ્યા છે - શેખાવત

તેમણે વધુમાં એક આક્ષેપ કર્યો કે, જે કામ ગુજરાત રાજ્યની ગુજરાત સરકારે કરવા જોઈએ તે કામ આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત કરી રહ્યા છે. રાજ શેખાવત દ્વારા કરવામાં આવતા સમાજસેવાના કાર્યો ગુજરાત સરકારના અનેક પ્રધાનો સહિત અધિકારીઓએ કરવા જોઈએ. પરંતુ તેઓ કામ કરવાની જગ્યાએ સહન પણ કરી શકતા નથી. એટલે રાજ શેખાવત પર રાજકીય કિન્નાખોરી રાખીને તેમને આર્થિક રીતે તોડી પાડવા ગુજરાત સરકારના ગૃહ ખાતા તરફથી પોલીસ તેમજ સરકારી તંત્રનો દુરૂપયોગ કરી તેમના ધંધા-રોજગાર બંધ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના રાજ શેખાવત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખોટી રીતે નોટિસ અને ઇન્સ્પેકશન નામે મારો વ્યવસાય બંધ કરાવ્યો - શેખાવત

રાજ શેખાવત ખાનગી સિક્યુરિટી તેમજ હોટલનો વેબસાઇટ પર ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઈશારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઇન્સ્પેકશન નામે એમનો વ્યવસાય બંધ કરાવવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. જેથી રાજ શેખાવતે સમાજસેવા છોડી દે, પરંતુ સમગ્ર રાજપૂત સમાજ સાથે અન્ય સમાજ એમના સાથે જ છે. જેથી આ બાબતે તત્કાળ પગલા લેવાની માગ કરવામાં આવી છે, સાથે જ રાજ્યપાલને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

સમાજના યુવાનો અને યુવતીઓને ન્યાય આપવા અવાજ ઉઠાવ્યો છે - શેખાવત

ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે, અમરેલીના લુવારામાં રાજપૂત સમાજની દીકરી પર જ્યારે અન્યાય થતો, ત્યારે તાકાતથી અવાજ ઉઠાવ્યો ત્યારે એમના ઘરે પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો અને એમની અટકાયત કરવામાં આવી.

કેટલાય સામાજિક આંદોલન અને સેવા કાર્યો એમના દ્વારા કરવામાં આવ્યા

વડોદરાની સાવલીની મંજૂસર GIDCમાં આવેલી નબક કંપનીમાંથી કોરોના કાળમાં ગેરકાયદેસર રીતે યુવાનોને છૂટા કર્યા ત્યારે પણ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે પણ ગૃહ ખાતાના ઇશારે એમની અટકાયત કરવામાં આવી હતી. આવા તો કેટલાય સામાજિક આંદોલન અને સેવા કાર્યો એમના દ્વારા કરવામાં આવ્યા છે અને આ સામાજિક કાર્યો કરતાં તેમની અટકાયત કરી તેમને રોકવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ તેમના દ્વારા કરાયો છે.

મારા પરિવારને અસંવૈધાનિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે - શેખાવત

રાજ શેખાવત વધુમાં જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારના ગૃહ ખાતાના ઇશારે ખોટી રીતે મારી ધરપકડ કરવામાં આવી રહી છે. ઘણીવાર મારા નિવાસસ્થાન બહાર પોલીસનો કાફલો મૂકી દેવામાં આવતો હોય છે. મારા પરિવારને અસંવૈધાનિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધું જ હું સહન કરતો આવ્યો છું. સામાજિક કાર્યો કરવા માટે થઇ હું આ બાબતને સહન કરી રહ્યો છું. પરંતુ આગામી દિવસોમાં સમાજ એક થઈને હવે સરકારને જગાડવાનું કામ કરીશું.

ગૃહપ્રધાન પર કર્યા સીધા આક્ષેપ

રાજ શેખાવત એક સમગ્ર મામલે ગુજરાત સરકારના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપર સીધો આક્ષેપ કર્યો હતો અને તેમને જણાવ્યું કે ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા છેલ્લા કેટલાય સમયથી મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખી રહ્યા છે પદ્માવત ફિલ્મના વિરોધમાં જે યુવાનો ઉપર ફરિયાદ નોંધાઈ છે તે ફરિયાદ પાછી લેવા માટે થઈને સતત સરકાર પર દબાણ કરી રહ્યો હતો જેના કારણે તેઓ મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કરણી સેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું

ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મળી બેઠક કરાશે

જો કે, આગામી દિવસોમાં સમગ્ર રાજપૂત કરણી સેના એક જૂથ થઈ સચિવાલય તરફ આગેકૂચ કરીને ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મળી બેઠક કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.