ETV Bharat / city

IGST મામલે હાઈકોર્ટનો નિર્ણય: એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સીઝને અગાઉથી ઈન્ટિગ્રેટેડ GSTનું રિબેટ અથવા રિફંડ મળશે નહીં

author img

By

Published : Oct 31, 2020, 7:58 PM IST

હાઈકોર્ટ
હાઈકોર્ટ

સપ્ટેમ્બર-2018 પહેલાં એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સ ધરાવનારાઓને ઈન્ટિગ્રેટેડ GST અને IGSTની છૂટછાટ વગર કાચો માલ આયાત કરવાની છૂટ હતી. પરંતુ કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર-2018માં નિયમોમાં સુધારો કર્યો અને તેને જુલાઈ-2017થી એટલે કે પાછલી અસરથી અમલમાં મૂક્યો હતો. આ સુધારા મુજબ, જો કાચા માલની આયાત કરતી વખતે અગાઉથી અધિકૃતતા અથવા નિકાસના લાભ મેળવવામાં આવ્યા હોય તો આ હકને પ્રતિબંધિત કરવામાં આવે છે. જેની સામે નિકાસકારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

  • હાઈકોર્ટનો IGST મામલે મહત્વપૂર્ણ નિર્ણય
  • નિકાસકારોએ હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે હાઈકોર્ટનો નિર્ણય
  • એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સીઝને અગાઉથી ઈન્ટિગ્રેટેડ GSTનું રિબેટ અથવા રિફંડ મળશે નહીં

અમદાવાદ: નિકાસકારોની અરજીની સામે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, એડવાન્સ ઓથોરાઈઝેશન લાયસન્સીઝને અગાઉથી ઈન્ટિગ્રેટેડ GSTનું રિબેટ અથવા રિફંડ મળી શકે નહીં. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના (CGST) કાયદામાં જે સુધારો કરેલો છે તે યોગ્ય છે. હાઈકોર્ટનું અવલોકન છે કે, આ કાયદામાં થયેલો સુધારો પાછલી અસરથી એટલા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે કે, વચ્ચેનો જે સમય છે તેમાં જે પણ વિરોધાભાસ થાય તો તેને ટાળી શકાય. આ ઉપરાંત, એવા નિકાસકારો કે જેમણે પહેલાંથી જ બીજા વિકલ્પ હેઠળ રિફંડનો દાવો કરેલો છે, તે નિકાસકારોએ વ્યાજ સાથે IGST ચૂકવવું પડશે અને ITC (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) લેવી પડશે.

IGST મામલે હાઈકોર્ટનો નિર્ણય

આ સુધારાના કારણે રિફંડનો દાવો કરવાનો વિકલ્પ નિકાસકારો માટે મર્યાદિત નથી. જે નિકાસકારો માત્ર મૂળભૂત કસ્ટમ ડ્યુટી (BCD) છૂટનો લાભ મેળવે છે અને કાચામાલ પર IGST ચૂકવે છે, ત્યાંથી નિકાસકારો, જે બીજા વિકલ્પ હેઠળ રિફંડનો દાવો કરવા માગતો હોય તે હવે બદલી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.