Harsh Sanghvi Visit Civil Hospital : બોટાદ લઠ્ઠાકાંડ અસરગ્રસ્તોની ગૃહપ્રધાને ખબરઅંતર કાઢી વ્યવસ્થાઓની સમીક્ષા કરી

author img

By

Published : Jul 26, 2022, 4:54 PM IST

Harsh Sanghvi Visit Civil Hospital : બોટાદ લઠ્ઠાકાંડ અસરગ્રસ્તોની ગૃહપ્રધાને ખબરઅંતર કાઢી વ્યવસ્થાઓની સમીક્ષા કરી

ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડ (Botad Latthakand Case ) મામલે થઈને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. જે બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત (Harsh Sanghvi Visit Civil Hospital) પણ લીધી હતી.

અમદાવાદઃ ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડમાં આ લખાય છે ત્યાં સુધીમાં 29થી વધુ લોકોના (Death Toll in Gujarat Hooch Tragedy ) મૃત્યુ થયા છે. જ્યારે 30થી વધુ લોકો (Botad Latthakand Case ) અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઇને ગુજરાત સરકાર (Hooch Tragedy Gujara) ગતિમાન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કડક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ દર્દીઓને મળી રહેલી સારવાર અંગે પૂછપરછ કરી હતી

ગૃહપ્રધાન અમદાવાદ સિવિલમાં લીધી મુલાકાત- તો બીજી તરફ હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત કરી (Harsh Sanghvi Visit Civil Hospital) હતી. જેમાં હર્ષ સંઘવીએ દર્દીઓને મળી રહેલી સારવાર અંગે પૂછપરછ કરી હતી.

છ જેટલા દર્દીઓ હાલ સ્વસ્થ અવસ્થામાં - અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત 13 જેટલા દર્દીઓ (Hooch Tragedy Gujarat ) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓમાં છ જેટલા દર્દીઓ હાલ સ્વસ્થ અવસ્થામાં છે, જ્યારે અન્ય દર્દીઓની સતત સારવાર ચાલી રહી છે. દર્દીઓને શરૂઆતમાં જોવામાં મુશ્કેલી( Rojid Hooch Tragedy) પડી રહી હતી. આખે અંધાપો આવી રહ્યો છે તેવી ફરિયાદ કરી રહ્યાં હતાં. જેને ધ્યાને રાખીને દર્દીઓની સારવાર ( Rojid Hooch Tragedy _ માટે થઈને ડોક્ટરોની વિશિષ્ટ ટીમ પણ સતત નજર રાખી રહી છે. હાલ ડાયાલિસિસના માધ્યમથી શરીરમાં રહેલ કેમિકલ અથવા અન્ય પદાર્થને બહાર કાઢવાની (Botad Latthakand Case) સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો- દારૂને બદલે બટકાવ્યું કેમિકલ, પ્રવાહીમાં એક પણ ટીપુ દારૂ ન મળ્યો

વધુ દર્દી આવશે તો પણ સુસજ્જ છે સિવિલ - અમદાવાદ સિવિલ દ્વારા હાલ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. અન્ય દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે તો સિવિલ તંત્ર દ્વારા તેઓની સારવાર માટે પણ તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી છે. ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ તમામ દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી. તમામ દર્દીઓ સાથે તેઓએ વાતચીત કરી અને તેમના ખબરઅંતર (Hooch Tragedy Gujarat ) પણ પૂછ્યાં હતાં.

આ પણ વાંચો - લઠ્ઠાકાંડ મામલે DGPએ કર્યા ચોંકાવનારા ખૂલાસા, દારૂમાં 99 ટકા તો માત્ર મિથેનોલ કેમિકલ જ હતું

મેડિકલ રિપોર્ટ પર પણ સતત ધ્યાન -તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારવાર લઇ રહેલા તમામ દર્દીઓના મેડિકલ રિપોર્ટ પર પણ સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હાલ સિવિલમાં સારવાર લઈ રહેલ એક પણ દર્દીને ( Rojid Hooch Tragedy ) શરીરના અન્ય કોઈ પણ ભાગમાં અસર થઇ હોય તેવું મેડિકલ રિપોર્ટમાં જોવા મળી રહ્યું નથી તે ખૂબ જ સારી બાબત ગણવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.