ETV Bharat / city

ગુજરાતમાં ધનતેરસનાં દિવસે વ્હિકલનાં વેચાણમાં નોંધાયો ધટાડો...

author img

By

Published : Nov 2, 2021, 7:37 PM IST

ગુજરાતમાં ધનતેરસનાં દિવસે વહિકલનાં વેચાણમાં નોંધાયો ધટાડો...
ગુજરાતમાં ધનતેરસનાં દિવસે વહિકલનાં વેચાણમાં નોંધાયો ધટાડો...

દિવાળી(Diwali 2021)નાં પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધનતેરસનાં પર્વની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ત્યારે આ દિવસે લોકો સોનું, ચાંદી તેમજ નવાં વાહનોની ખરીદી(Purchase of vehicles) કરતાં હોય છે. સમગ્ર ગુજરાતમાં જોવામાં આવે તો આજનાં દિવસે 5,000 જેટલી ફોર વ્હીલર(Four wheeler) તેમજ 28,000 થી વધુનાં ટુ વ્હીલર(two wheeler) અને અમદાવાદમાં 4 હજાર થી વધું ટુ વ્હીલર વેચાઇ છે.

  • આ વર્ષે 40 ટકા ઓછું વેચાણ વ્હિકલમાં જોવા મળ્યું
  • ગુજરાતમાં 5,000 જેટલી ફોર વ્હીલરનું થયું વેચાણ
  • ગુજરાતમાં 28,000 થી વધુનાં ટુ વ્હીલરનું વેચાણ

અમદાવાદ : અમદાવાદમાં દિવાળીનાં તહેવાર(Diwali festival) દરમિયાન 4,000 જેટલી ટુ વ્હીલર(Two Wheeler) તેમજ 1,500 થી વધુ ફોર વ્હીલર(Four Wheeler)નું આજનાં દિવસે વેચાણ થયું છે. જેમાં દર વર્ષની સરખામણી એ આ વર્ષે ટુ વ્હીલરનું વેચાણ ઓછું જોવા મળ્યું છે તેનું મુખ્ય કારણ પેટ્રોલનાં વધતા ભાવ હોઇ શકે છે તેમજ વર્ષ 2019-20 નાં મુકાબલે આ વર્ષે 40 ટકા ઓછું વેચાણ ટુ વ્હીલર માં જોવા મળ્યું હતું.

ગુજરાતમાં ધનતેરસનાં દિવસે વહિકલનાં વેચાણમાં નોંધાયો ધટાડો...

40 ટકા જેટલું ઓછું વેચાણ વહિકલમાં જોવા મળ્યું

કોરોના પહેલાનાં વર્ષની સરખામણી એ આ વર્ષે 40 ટકા જેટલું ઓછું વેચાણ વહિકલમાં જોવા મળ્યું છે. કોરોના પછી આ વર્ષે વાહનોની ખરીદીમાં થોડો વધારો જોવા મળ્યો છે તેમજ વધતાં જતાં પેટ્રોલ-ડીઝલનાં ભાવનાં કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ પ્રેરાઈ રહ્યા છે.

આ પણ વાંચો : DNH By Election Result 2021: શિવસેનાનાં કલાબેન ડેલકરનો 50,677 મતથી ભવ્ય વિજય

આ પણ વાંચો : દિવાળીની ખરીદીમાં વોકલ પર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.