ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોની ભાગદારી : જગદીશ ઠાકોર

author img

By

Published : Jul 26, 2022, 4:39 PM IST

ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોનો ભાગ : જગદીશ ઠાકોર
ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોનો ભાગ : જગદીશ ઠાકોર ()

બોટાદના રોજિદ ગામમાં થયેલ લઠ્ઠાકાંડના પડધા સમગ્ર (Lathakand Case in Botad) દેશમાં પડ્યા છે. ગામના સરપંચ દ્વારા ચાર મહિના પહેલા સરકારને ગામમા ચાલી રહેલા દેશી દારુ વિશે પત્ર લખીને જાણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં હાલ આ પ્રકારે માહોલ સર્જાયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસ અને ભાજપ (Jagdish Thakor attacked BJP Lathakand) સરકારની 30 ટકા ભાગીદારી ગણાવી છે.

અમદાવાદ : બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને લઇ સમગ્ર રાજ્યમાં (Botad Latthakand Case) હાહાકાર મચી ગયો છે. સરકારના ઉચ્ચ અધિકારી પણ બોટાદ, બરવાળા પહોંચ્યા છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર (Death in Latthakand) પહોંચ્યો છે. ત્યારે ભાજપ સરકાર પર હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધેરાવ કર્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરેઆ ઘટનાને લઈને ગુજરાત સરકાર (Jagdish Thakor attacked BJP Lathakand) પર આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોનો ભાગ : જગદીશ ઠાકોર

આ પણ વાંચો : લઠ્ઠાકાંડ મામલે DGPએ કર્યા ચોંકાવનારા ખૂલાસા, દારૂમાં 98 ટકા તો માત્ર મિથેનોલ કેમિકલ જ હતું

વારંવાર ગુજરાતમાં જ લઠ્ઠાકાંડ - ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor statement on Lattakkand) જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડમાં જેના મૃત્યુ થયા તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યા પર દારુ હાલમાં પણ વેચાણ ચાલુ છે. ગુજરાતમાં જ વારંવાર લઠ્ઠાકાંડ કેમ થાય છે. તે મોટો સવાલ છે. ગુજરાતમાં દારૂના વેચાણમાં પોલીસ અને ભાજપના લોકોનો ધંધામાં 30 ટકા ભાગીદારી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મારો આક્ષેપ નથી સાબિત કરી શકું છું તેવું તેમણે જણાવ્યું હતું.

અર્જુન મોઢવાડિયા કહ્યું કે, ભાજપે દારૂના નશામાંથી ચૂંટણીઓ લડી પ્રજાને નશાની લતમાં ધકેલી

આ પણ વાંચો : 13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

ખુલ્લેઆમ દારૂનું વેચાણ - વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ છે. કેમ કે ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાણ થાય છે. ભાજપ સરકારના શાસનમાં દારૂ પહેલા સાઇકલ પર અને હવે રીક્ષામાં આવતો થયો છે. સાથે સાથે (Jagdish Thakor attack on BJP) ગૃહપ્રધાન હર્ષ સંધવી અને સી.આર.પાટીલ મારી સાથે આવે તો હું સાબિત કરી આપુ કે ગુજરાતના ખુલ્લેઆમ દારૂ વેચાણ થાય છે. જ્યારે ગુજરાતમાં દારુ કન્ટેનર આવે છે. ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઇ જાય છે. ગુજરાતમાં પોલીસ 30 ટકા, ભાજપના લોકો 30 અને બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારીથી ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે.

અર્જુન મોઢવાડીયાના શું કહ્યું - લઠ્ઠાકાંડને કોંગ્રેસ નેતાના અર્જુન મોઢવાડિયાના ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારે જે લઠ્ઠાકાંડનું પેરેલલ અર્થતંત્ર ઉભુ કર્યું છે એને કારણે ગઈકાલે દુરભાગ્ય બાબતે એક ઝટકો આપીને 31 લોકોને આપણી વચ્ચેથી લઈ લીધા. દારૂ નથી તેવું છે જ નહીં ગુજરાતમાં એવુ નથી, ગુજરાતની અંદર સમાનતા અર્થ અવસ્થા, ભારતીય જનતા પાર્ટીએ દારૂના નશામાંથી ચૂંટણીઓ લડી અને પ્રજાને નશાની લતમાં ધકેલી દઈ ચૂંટણીની અંદર દારૂ પુરો પાડી પ્રજાને મેનેડ બદલવાનું કાવતરું ભાજપએ 15 -20 વર્ષથી કર્યું છે. તેને કારણે કોઈ પણ હિસાબે લોકોને દારૂની લતમાં નાખવાનું કામ કર્યું છે. માનવજાતના અસ્તિત્વ જોખમમાં મુકી એ પ્રકારની ભાજપની પોતાના રાજકીય સ્વાર્થ માટેની નીતિ રહી છે. ગુજરાતની ભાજપ સરકારે જે લઠ્ઠાકાંડનું પેરેલલ અર્થતંત્ર ઉભુ કર્યું છે એને કારણે ગઈકાલે દુરભાગ્ય બાબતે એક ઝટકો આપીને 31 લોકોને આપણી વચ્ચેથી લઈ લીધા. પરંતુ આ લઠ્ઠાનું જે રાજ્ય હેઠળ સમગ્ર ગુજરાતમાં ફેલાવીને ગુજરાતના યુવાનોને, ગુજરાતની જનતાને નશાની લત લેવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી રાજ્ય સરકાર કરી રહી છે. એટલું જ નહીં ગુજરાતના દરીયા કાઠાની અંદર અત્યાર સુધીમાં દોઢ લાખ કરોડનું જે ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.