ETV Bharat / city

કોરોના મહામારી : હાઈકોર્ટે અમદાવાદની રથયાત્રા પર રોક લગાવી

author img

By

Published : Jun 20, 2020, 9:49 PM IST

Updated : Jun 20, 2020, 10:04 PM IST

હાઈકોર્ટે
હાઈકોર્ટે

સુપ્રીમ કોર્ટ દ્વારા ઓડિશાના પુરીમાં યોજવામાં આવતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર કોરોના મહામારી ફેલાવવાના ભયને પગલે રોક લગાવી દીધી છે, ત્યારે અમદાવાદમાં પાછલા 142 વર્ષથી યોજવામાં આવતી રથયાત્રાને કોરોના મહામારીને પગલે ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓડિશાના પુરીમાં યોજવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રાના આયોજન પર રોક લગાવી દીધી છે. આમ, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવા પર રોક લગાવી છે.

નોંધનીય છે કે, 23મી જૂનના રોજ અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજવામાં આવનારી હતી. હાઈકોર્ટે અમદાવાદની રથયાત્રા રદ કરતા નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીની રથયાત્રા રદ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ વધુ હોવાથી રથયાત્રા પર સંપૂર્ણપણે રોક લગાવી દેવાઈ છે. એટલે કે 143મી રથયાત્રા ચાલુ વર્ષે યોજી શકાશે નહીં. ઇતિહાસમાં પહેલીવારમાં રથયાત્રા નહીં નીકળી શકે. હાઈકોર્ટે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યની તમામ રથયાત્રા પર રોક લગાવી છે.

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે ત્યારે કોરોના વધુ ન ફેલાય તેના માટે ચાલુ વર્ષની 143મી રથયાત્રા રદ કરવામાં આવે. રથયાત્રા યોજવા માટે માંગવામાં આવેલી મંજૂરીનો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જોકે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને રથયાત્ર રદ કરવામાં આવે. રથયાત્રાના દિવસે વહેલી સવારે મુખ્યપ્રધાન અને ઉપ-મુખ્ય પ્રધાન મંદિર ખાતે યોજાતી મંગળા આરતીમાં પણ હાજર રહે છે, જેથી તેમને પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા છે, વળી ચોમાસું પણ નજીક હોવાથી જો વરસાદ આવે તો પણ સંક્રમણ વધુ ફેલાશે. જેથી હાઈકોર્ટ તેમના આદેશનું પાલન કરી તેને રદ જાહેર કરે.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, જો રથયાત્રા યોજવામાં આવશે અને તેની સુરક્ષા-વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓને હાજર થવું પડશે અને તેમને પણ કોરોનાના ચેપની શક્યતા છે, વહીવટીતંત્ર ખોરભે ચડી જશે. આ માટે આ વખતની રથયાત્રા પર રોક લગાડવામાં આવે. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા નથી. જેથી કરીને જો રથયાત્રાને લીધે સંક્રમણ ફેલાશે, તો સ્થિતિ ભયાવહ થઈ જશે.

હાઈકોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 ઝોનને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં લક્ષણવગરના કોરોના દર્દી હોવાથી જો કોઈ આવી વ્યકિત રથયાત્રામાં જોડાય તો પણ સંક્રમણ લાખો સુધી પહોંચી જશે.

નોંધનીય છે કે, રાજ્યમાં પાછલા ચાર દિવસથી દરરોજ 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. હાલ અમદાવાદમાં 4011 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે અને કુલ 1250થી દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાથી 16મી જૂન સુધીમાં 1534 દર્દીઓના મોત થયાં છે. ગુજરાતમાં સાજા થઈને ઘરે જનાર દર્દીઓની સંખ્યા 17,090 પર પહોંચી છે.

Last Updated :Jun 20, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.