સરકારે મંજૂરી આપતાં હવે રાજ્યની આ નગરપાલિકાઓમાં થઈ શકશે વિકાસના કામો

author img

By

Published : Aug 22, 2022, 7:55 AM IST

સરકારે મંજૂરી આપતાં હવે રાજ્યની આ નગરપાલિકાઓમાં થઈ શકશે વિકાસના કામો

રાજ્ય સરકારે રાજ્યની 5 નગરપાલિકાઓને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 85,00,00,000 રૂપિયાના વિકાસના કામોની મંજૂરી આપી છે. swarnim jayanti mukhyamantri shaheri vikas yojana, Development work in Gujarat, Government approved development work for municipalities.

અમદાવાદ ગુજરાત સરકારે આખરે વિવિધ નગરપાલિકાઓ માટે વિકાસ કામોને મંજૂરી (Government approved development work for municipalities) આપી દીધી છે. સરકારે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) અંતર્ગત ધાંગધ્રા, માણસા, કડી, વડનગર, બાવળા સહિતની નગરપાલિકા માટે કુલ 85,00,00,000 રૂપિયાના વિકાસના કામોને લીલી ઝંડી આપી છે. આ વિકાસના કામોમાં ગટરના કામો, હાઉસ કનેક્શન, પમ્પિંગ મશિનરી જેવા કામો (Development work in Gujarat) કરવામાં આવશે.

ગટરના કામો માટે 3.53 કરોડ મંજૂર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકા વિસ્તારના 5,052 ઘરોની ગટરલાઈનોને મુખ્ય ગટર સાથે જોડાવા માટે 3,53,57,000 રૂપિયા મંજૂર (Government approved development work for municipalities) કર્યા છે. આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) હેઠળ ઘરોની ગટર લાઈન સાથે જોડાવા તેમજ નવી સોસાયટી ઘરને પરિવારદીઠ 7,000 રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો CM Bhupendra Patel પોરબંદરમાં તિરંગા યાત્રામાં સહભાગી થતાં શું કહ્યું જૂઓ

બાવળામાં 25 વર્ષ જૂની ગટરલાઈન રિનોવેટ થશે બાવળા નગરપાલિકાના ગામતળ વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર અંદાજિત 25 વર્ષ જૂની છે. બાવળા શહેરની નગરપાલિકા 10 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. હાલમાં 26 કિમી ગટરકામનું નેટવર્ક કાર્યરત્ છે. તો હવે આ ગટરલાઈન કાર્યરત્ થવાથી બાવળા શહેરની 90,140ની વસ્તીમાંથી 4,375 ઘરોને આ યોજનાથી લાભ થશે. આ ઉપરાંત કડી નગરપાલિકામા RCC રોડ, પાણીની લાઈન, પેવર બ્લોક કામો માટે 44.83 લાખ ખર્ચે કુલ 9 કામો મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો Janmashtami 2022 in Bhavnagar શહેરમાં ઠેર ઠેર મટકી ફોડ ઉજવણી સીએમની હાજરીથી ખીલ્યાં ગોવિંદા

માનસર તળાવ માટે 4 કરોડની મજૂરી આપવામાં આવી ગુજરાત ફાયનાન્સ બોર્ડ (Gujarat Finance Board) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (Gujarat Urban Development Mission) દ્વારા ધાંગધ્રા નગરપાલિકા હસ્તક આવેલા માનસર તળાવના બ્યૂટિફીકેશન માટે 4.25 કરોડ આગવી ઓળખ અને વિકાસના કામ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત માણસાના ચન્દ્રાસર તળાવના બ્યૂટિફિકેશન માટે પણ 4.87 કરોડના સાથે પ્લાન્ટેશન, વૉક વે,વરસાદી પાણી માટે ઈનલેટ, ગાર્ડન જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.