ETV Bharat / city

Gujarat Corona Blast: રાજ્યમાં એક જ દિવસમાં 1259 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

author img

By

Published : Jan 3, 2022, 9:25 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1259 કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Blast) નોંધાયા છે. જ્યારે આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 152 કેસ નવા વેરિયન્ટના થયા છે. જેમાં 85 દર્દીઓને રજા આપવામાં આવી છે.

Gujarat Corona Blast: રાજ્યમાં એક જ દિવસમાં 1259 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં
Gujarat Corona Blast: રાજ્યમાં એક જ દિવસમાં 1259 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 3 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1259 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron in Gujarat)ના 16 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 07, વડોદરામાં 2, કચ્છ, ખેડા, જામનગર, જામનગર કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને આણંદમાં 1-1 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 152 કેસ નવા વેરિયન્ટના થયા છે. જેમાં 85 દર્દીઓને રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના ફાટ્યો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 631જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 213 વડોદરા શહેરમાં 68 અને રાજકોટમાં 37 કેસ નોંધાયા છે. કુલ 151 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 7,46,485 નાગરીકોને વેક્સિન અપાઈ

આજ રોજ રાજ્યમાં કુલ 7,46,485 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,38,174 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. 78,272 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, સમગ્ર રાજ્યમાં કુલ 9,04,35,373 નાગરિકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 5858

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 5858 જેટલા એક્ટિવ કેસ (Active case in Gujarat) છે, જેમાં 16 વેન્ટિલેટર પર અને 5842 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,123 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,047 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.09 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: End Of Covid: શું કોવિડ રોગચાળાનો અંત નજીકમાં છે?

આ પણ વાંચો: Omicron Vs Delta: નિષ્ણાતો મુજબ, ઓમિક્રોન વિશ્વમાંથી ડેલ્ટાને બદલીને સારું કરી શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.