ETV Bharat / city

Gujarat Assembly 2022: પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતને સર કરવા રણનીતિ ઘડશે?

author img

By

Published : Mar 11, 2022, 12:05 AM IST

Updated : Mar 11, 2022, 7:00 AM IST

Gujarat Assembly 2022: પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતને સર કરવા રણનીતિ ઘડશે?
Gujarat Assembly 2022: પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતને સર કરવા રણનીતિ ઘડશે?

પંજાબ વિધાનસભાની (Punjab Legislative Assembly)ચૂંટણીના પરિણામે મેજર અપસેટ સર્જ્યો છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જે રાજકીય પંડિતોને (Political pundits)માથું ખંજવાળતા કરી દીધા છે. દિલ્હી પછી હવે પંજાબ પર આપનું શાસન આવ્યું છે, જેથી આપમાં નવો જોમ અને જુસ્સો આવ્યો છે. હવે તેઓ મોદીના ગઢ એવા ગુજરાતના કાંગરા ખેરવા માટે રણનીતિ ઘડશે. ETV BHARATનો વિશેષ અહેવાલ

અમદાવાદ: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈ ત્યાર પછી આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ રાજીનામા આપી દીધા હતા અને ખૂબ નારાજગી જોવા મળી રહી છે. શું પાર્ટી ફરી ઉઠી શકશે ખરી?

Gujarat Assembly 2022: પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતને સર કરવા રણનીતિ ઘડશે?

આ સવાલના જવાબમાં રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharatમાં ડીબેટ દરમ્યાન જણાવ્યું હતું કે જો આપણે એક અલગ દ્રષ્ટિકોણ સાથે જોઈએ તો ભાજપ માને છે કે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) સારો પ્રતિસ્પર્ધી છે. સામાન્ય રીતે જ્યારે તૃતીય પક્ષ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને વધારે બેઠકો મળતી નથી. કારણ કે ગુજરાતમાં બે પક્ષની જ રાજનીતિ ચાલે છે. પરંતુ જો આપણે સમાન સંદર્ભમાં જોઈએ તો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી પાસે તેની કાયમી વોટ બેંક છે. જેની અવગણના કરી શકતા નથી. જો તૃતીય પક્ષને 22-30 ટકા મત મળે તો તે વર્તમાન સરકાર માટે સમસ્યારૂપ છે, જે પણ સત્તામાં છે. આ જ કારણ છે કે ભાજપે તેમને ગંભીરતાથી લઈ રહ્યા છે. હું ચોક્કસપણે કહી શકું છું કે આમ આદમી પાર્ટી તેના મૂળ નમી શકે છે.

આ પણ વાંચો: Punjab Election Result 2022:AAPનું થયું પંજાબ, ભગવંત માનની ઐતિહાસિક જીત

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાએ તેમનો અભિપ્રાય આપ્યો હતો કે જ્યારે વિજય સુંવાળા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયા ત્યારે તે ભાજપ પક્ષ માટે મોટો લાભ હતો, સામે આમ આદમી પાર્ટીને ખૂબ મોટું નુકશાન હતું. પણ જો હું બહુ સાચું કહું તો આમ આદમી પાર્ટીએ વિજય સુંવાળાને લીધા પછી મને આટલા મહિનાઓ સુધી તેમના વિશે કોઈ જાણ નથી. હું એ વાતનો ઈન્કાર કરી શકતો નથી કે તે પોતાના સમાજ માટે ખૂબ સારા નેતા હશે. જો કોઈ સમાજના નેતા પાસે પાર્ટીમાં 2 થી 3 ટકા મત હોય તો તે જ્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે. ત્યારે તેની ખરેખર અસર થતી નથી. શુ તે ખરેખર એક મોટો ફાયદો કહેવાય? આપણે જાણીએ છીએ કે સુરતના 7 કોર્પોરેટરોએ(7 Corporators of Surat) તેમનો પક્ષ બદલ્યો છે. પરંતુ તેઓ શું ખરેખર સ્વતંત્ર રીતે ચૂંટણી જીતેલા? જ્યારે આપણે ખરેખર રાજકારણ વિશે સારું જ્ઞાન વહેંચીએ છીએ ત્યારે આપણે ક્યારેય નેતાઓના બેકગ્રાઉડ વિશે વિચારતા જ નથી. દિલીપભાઈએ જણાવ્યું હતું કે બે પ્રકારના મતદારો છે. તમારી પોલિસી અથવા તેની ડિલિવરી ગમે તે હોય. 30 ટકા એવા કાયમી મતદારો(Permanent voters) છે, જેઓ ક્યારેય કોંગ્રેસમાંથી બીજેપીમાં જતા નથી. તેવી જ રીતે ભાજપનો કમીટેડ મતદાતા કયારેય ભાજપને છોડતો નથી. આથી જ ભાજપ 1990થી સતત જીતતું આવ્યું છે.

પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી
પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી

આ પણ વાંચો: Punjab Elections Results 2022: પંજાબમાં BSPનું ખાતું ખુલ્યું, નવાશહરમાં મેળવી જીત

પ્રશ્ન: 2 હાર્દિક પટેલે નરેશ પટેલને રાજકારણ માટે આમંત્રિત કરવા પાછળનું મૂળ કારણ શું હશે?

દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, જુઓ કે તમે સામાજિક અને ધર્મ આધારિત (Social and religion based protagonist)સારા અને મોટા આગેવાન છો તો તમને સન્માન મળશે. મારે કહેવું જ જોઇએ કે મેં ક્યારેય તેમની ટીકા કરી નથી. જો તેઓ સામાજિક આગેવાનો છે અને તેઓ તેમની સામાજિક સમસ્યાઓ વિશે વાત કરે છે તો તે તેમના માટે સારું છે પરંતુ તેઓએ એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને તેઓ જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને નીતિ સાથે આવવા જોઈએ જેથી તેઓ લોકોમાં અલગ છબી બનાવી શકે.

આ બધી વાતને જોતા ગુજરાત વિધાનસભાની(Gujarat Legislative Assembly) ડિસેમ્બર 2022માં આવનારી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી હવે વધુ ફોક્સ ગુજરાત પર કરશે. અને અરંવિદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ કરશે. અને કેજરીવાલ દ્રારકાધીશના દર્શન કરીને પછી પ્રચાર શરૂ કરશે, ભાજપને હંફાવવા માટે રણનીતિ ઘડશે. એક વાત નક્કી છે કે ગુજરાતની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસથી નહી પણ આમ આદમી પાર્ટીનો ડર રહેશે.

Last Updated :Mar 11, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.