Face To Face Interview : સરકારે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ માટેની વય મર્યાદા દૂર કરી : પ્રદીપ પરમાર

author img

By

Published : Jan 22, 2022, 7:16 AM IST

આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ માટેની વય મર્યાદા સરકારે દૂર કરી : પ્રદીપ પરમાર

રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારના 3 મહિના પૂર્ણ (3 months Bhupendra Patel's government completed) થયા છે ત્યારે સરકારની નવી શરૂઆતમાં વિભાગો દ્વારા 100 દિવસનું આયોજન કર્યું હતું. ત્યારે ETV ભારત સાથે રૂબરૂ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારે (Social Justice, Empowerment Cabinet Minister Pradeep Parmar) ખાસ વિગતો આપી હતી.

ગાંધીનગર: રાજ્યના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે (Social Justice, Empowerment Cabinet Minister Pradeep Parmar) ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 121 દિવસથી કામગીરીના ભાગરૂપે સમગ્ર અને તમામ સમાજના હિતના કાર્યો કરવામાં આવ્યા છે.

આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ માટેની વય મર્યાદા સરકારે દૂર કરી : પ્રદીપ પરમાર

આદર્શ નિવાસી શાળામાં 25 વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ હતો

ગામડાના છેવાડાના સુધીના તમામ નાગરિકોને લાભ મળે તે દિશામાં સરકાર દ્વારા કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વાત કરવામાં આવે તો આદર્શ નિવાસી શાળામાં 25 વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ હતો.

આદર્શ નિવાસી શાળામાં વયમર્યાદા રદ કરવામાં આવી

નિયમમાં ફેરફાર કરીને હવે તમામ વ્યક્તિઓ જેઓ આગળ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેવા તમામ લોકો ઉચ્ચ અભ્યાસ કરી શકશે. જેમાં વયમર્યાદા રદ (Age limit was revoked Adarsh Residential School) કરવામાં આવી છે. જ્યારે જે અમુક આદર્શ નિવાસી શાળા (Adarsh Residential School) જે જર્જરિત હતી તેને પણ સુધારો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

બાબાસાહેબ આંબેડકર જ્યાં રહેતા તે તમામ જગ્યા પર આંબેડકર ભવન બનાવવાની જાહેરાત

બાબાસાહેબ આંબેડકર જન્મ લીધો હોય ત્યાં જ્યાં તેઓના અંતિમ સંસ્કાર થયા હોય તે જગ્યાએ અને બાબા આંબેડકર જ્યાં રહેતા હોય તે તમામ જગ્યા ઉપર આંબેડકર ભવન બનાવવાની જાહેરાત (Ambedkar announced construction of Bhavan) કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા 28 કરોડના ખર્ચે ભવન બનવવામાં આવશે

ગુજરાતમાં બરોડામાં મહારાજા સયાજીરાવ સાથે બાબાસાહેબ આંબેડકર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થયો હતો અને તેઓએ કામને તિલાંજલિ આપીને ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ પાંચ કલાક સુધી તેઓ સયાજી ગાર્ડન પાસે બેઠા હતા ત્યારે તેઓએ સંકલ્પ કર્યો હતો કે, આજે મારી જોડે થયું એવું મારા સમાજના લોકો સાથે ના થાય તેવો સંકલ્પ આંબેડકર દ્વારા લેવામાં આવ્યો હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 28 કરોડના ખર્ચે ભવન બનવવામાં આવશે.

અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભેદભાવ નીતિઓ છે

રાજ્યમાં 21મી સદી દરમિયાન પણ અત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભેદભાવ નીતિઓ છે, ત્યારે આ પ્રશ્નના જવાબમાં રાજ્યના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર ETV ભારત સાથે રૂબરૂ કાર્યક્રમમાં ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે નક્કર પગલાં લઈ રહી છે.

સમિતિમાં જિલ્લાના કલેકટર અને SP પણ હાજર રહેશે

સમાજના ઉચ્ચ આગેવાનોની હાજરીમાં એક તકેદારી સમિતિ પણ તૈયાર કરવાનું આયોજન છે, જે તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ તૈયાર કરવામાં આવશે. આ સમિતિમાં જે તે જિલ્લાના કલેકટર અને SP પણ હાજર રહેશે.

સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનોનો સમિતિમાં સમાવેશ કરવામાં આવશે

સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને સમાજમાં પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓને સમિતિમાં સમાવેશ કરવામાં આવશે અને આવી કોઇ ઘટના ન બને તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો સામાજિક ન્યાય અને અધિકારિતા માટે શું છે જોગવાઈ ?

ધરમપુરમાં કેબિનેટ પ્રધાનના હસ્તે આદર્શ નિવાસી શાળાના કુમાર છાત્રાલયના નવા મકાનનું ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.