ETV Bharat / city

Disabled Reservation in Gujarat University : દિવ્યાંગો માટે કયા કોર્સીસમાં કેટલા ટકા અનામત રહેશે જાણો, 1 મેથી રજિસ્ટ્રેશનની શક્યતા

author img

By

Published : Apr 27, 2022, 3:51 PM IST

ગુજરાત યુનિવર્સિટીના 2022-23ના નવા ક્ષૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં (Gujarat University Admission Process 2022-23) મહત્ત્વનો સુધારો અમલમાં લવાશે. જે દિવ્યાંગોને લઇને (Disabled Reservation in Gujarat University )ખાસ મહત્ત્વનો છે. વધુ જાણો અહેવાલમાં.

Disabled Reservation in Gujarat University : દિવ્યાંગો કયા કોર્સીસમાં કેટલા ટકા અનામત રહેશે જાણો, 1 મેથી રજિસ્ટ્રેશનની શક્યતા
Disabled Reservation in Gujarat University : દિવ્યાંગો કયા કોર્સીસમાં કેટલા ટકા અનામત રહેશે જાણો, 1 મેથી રજિસ્ટ્રેશનની શક્યતા

અમદાવાદ- કેન્દ્ર સરકારના ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ હવે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષથી તમામ યુજી અને પીજી કોર્સીસમાં (Gujarat University Admission Process 2022-23) દિવ્યાંગ વિદ્યાર્થીઓ (Disabled Reservation in Gujarat University ) માટે પાંચ ટકા બેઠકો અનામત રાખવામા આવશે. આ બાબતે સોમવારે મળેલી સીન્ડીકેટ અને એકેડમિક બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપવામા આવી હતી. અગાઉ તમામ કોર્સમાં ત્રણ ટકા બેઠકો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામા આવતી હતી.

કેન્દ્ર સરકારનો 2016ના રાઈટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ લાગુ

ત્રણ ટકા બેઠકો અનામત -યુનિવર્સિટીના યુજી અને પીજી સહિતના(Gujarat University Admission Process 2022-23) તમામ વોકેશનલ કોર્સીસ તેમજ ટેકનિકલ કોર્સીસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ (Disabled Reservation in Gujarat University )માટે અગાઉની કાયદાકીય જોગવાઈઓ મુજબ ત્રણ ટકા બેઠકો અનામત રાખવામા આવે છે. પરંતુ કેન્દ્ર સરકારનો 2016ના રાઈટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ લાગુ થતા હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારની ગ્રાન્ટ મેળવતી તમામ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ (Reservation in Gujarat University UG - PG courses) માટે પાંચ ટકા બેઠકો અનામત રહેશે. આ એક્ટમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નક્કી કરાયેલી બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટ પણ મળશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવારો થયા પરેશાન

કુલપતિનું નિવેદન - ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ (Gujarat University Chancellor Himanshu Pandya )જણાવ્યું હતું કે પ્રવેશ પ્રક્રિયા (Gujarat University Admission Process 2022-23)શાંતિના માહોલમાં પૂર્ણ થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 1 મે થી કદાચ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ એક્ટ લાગુ થતા અને રાજ્ય સરકાર દ્વારા પણ તેનો અમલ કરવાની સૂચના અપાતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે સીન્ડીકેટ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી પાંચ ટકા બેઠકો પર દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનામત (Disabled Reservation in Gujarat University )આપવાનો નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચોઃ Inspiration From Bhavnagar Divyang : એક હાથ અને પગ ખોટા પડ્યાં છતાં ડેટા ઓપરેટર બન્યો યુવાન

બૂકલેટમાં પણ આ નવી જોગવાઈનો સમાવેશ કરાશે -સૂચના મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23માં યુજી અને પીજી સહિતના તમામ કોર્સમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે નિયત માન્ય પ્રમાણપત્ર ધરાવે છે અને એક્ટમાં સમાવિષ્ટ જોગવાઈઓ મુજબની શારીરિક ખોડખાંપણ કે ડિસેબિલિટી ધરાવે છે તેઓ માટે પાંચ ટકા બેઠકો અનામત રાખવામાં (Reservation in Gujarat University UG - PG courses ) આવશે.આગામી વર્ષના પ્રવેશ માટેના નિયમો અને બૂકલેટમાં પણ આ નવી જોગવાઈનો (Disabled Reservation in Gujarat University )સમાવેશ કરાશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.