ETV Bharat / city

ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ-ખુશાલ

author img

By

Published : Jul 12, 2021, 8:39 PM IST

જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ
જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ

કોરોનાને કારણે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા ( 144th Jagannath Rathyatra ) કરફ્યૂ સાથે કાઢવામાં આવી હતી. આથી, ભગવાનના ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી. ભગવાન જ્યારે પરત ફર્યા ત્યારે નિજ મંદિર ખાતે લોકો તેમના દર્શન કરવા આવ્યા હતા.

  • 144મી રથયાત્રા ઐતિહાસિક રહી
  • કરફ્યૂ સાથે નીકળી હતી રથયાત્રા
  • ભક્તો રથયાત્રા નિકળવાથી ખુશ

અમદાવાદ : કોરોના કાળમાં કરફ્યૂ સાથે રથયાત્રા ( 144th Jagannath Rathyatra ) નીકાળીને ગુજરાત પોલીસે ( Gujarat Police ) એક તરફ વાહવાહ મેળવી લીધી છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના ભક્તો પણ ખુશ થયા છે. ગયા વર્ષે કોરોનાના કારણે રથયાત્રા કાઢવામાં ન આવી હોવાથી જગન્નાથજીના ભક્તો દુઃખી થયા હતા, પરંતુ આ વખતે કરફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ-ખુશાલ

આ પણ વાંચો: Ahmedabad Jagannath Rathyatra : ફક્ત 3:30 કલાકમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન

જે પણ થયું તે જગન્નાથની ઈચ્છા : ભક્તો

જગન્નાથના ભક્તોનું કહેવું છે કે, ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા તે જ તેમના માટે આનંદની વાત છે. ભગવાન જ્યારે પરત ફર્યા ત્યારે નિજ મંદિર ખાતે લોકો તેમના દર્શન કરવા આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક ભક્તો જગન્નાથની નાની પ્રતિકૃતિ સાથે દર વર્ષના નિયમ પ્રમાણે જગન્નાથને વંદન કરવા આવ્યા હતા, ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં અને અવાજમાં ખુશી અનુભવાતી હતી.

આ પણ વાંચો: rath yatra in gujarat: જાણો કેમ, ભગવાન જગન્નાથજીને મંદિર બહાર રથમાં જ શયન કરવું પડશે

ભગવાન અમને દર્શન આપતા રહે : ભક્તો

જગન્નાથની કૃપાથી દર વર્ષે તેમને ભગવાનના દર્શન કરવા મળે તેવી આશા છે. ભક્તોને રથયાત્રામાં શામેલ ન થવાથી તેઓ ખૂબ જ દુઃખી છે, પરંતુ રથયાત્રા નીકળી તે નિર્ણય તેમના હૃદયને આનંદ આપનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.