Corruption at Govt Office:મહેસુલ પ્રધાને પોલિટેકનિકમાં સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન ઓફિસની લીધી ઓચિંતી મુલાકાત, તમામ કર્મચારીઓની બદલીના આદેશ

author img

By

Published : Dec 4, 2021, 11:00 AM IST

મહેસુલ પ્રધાને પોલિટેકનિકમાં આવેલી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન ઓફિસની લીધી ઓચિંતી મુલાકાત, ખોટી રીતે પૈસા પડાવતા 2 શખ્સ ફરાર

રાજ્યના મહેસુલ પ્રધાનને ભ્રષ્ટાચારની ફરિયાદ (Corruption at Govt Office) મળતા તેમણે શુક્રવારે અમદાવાદ પોલિટેકનિકમાં આવેલી સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન કચેરીની ઓચિંતી મુલાકાત લીધી (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) હતી. અહીં ખોટી રીતે 2 શખ્સ લોકો પાસેથી પૈસા પડાવવા આવી રહ્યા છે. જોકે, મહેસુલ પ્રધાનની મુલાકાત દરમિયાન આ બંને શખ્સ ગાયબ (2 persons absconding) હતા. ત્યારે મહેસુલ પ્રધાને અહીં કામ કરતા તમામ કર્મચારીઓની બદલીના આદેશ (Order of transfer of all employees) આપી દીધા છે.

  • મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ કચેરીની રૂબરૂ મુલાકાત લીધી
  • ગુજરાત હાઇકોર્ટના વકીલે પૂરતા પુરાવા સાથે કરી હતી ફરિયાદ
  • તમામ કર્મચારીઓની બદલી થશે અને પગલાં લેવાશેઃ મહેસુલ પ્રધાન

અમદાવાદઃ રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પહેલા પણ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ (Revenue Minister Rajendra Trivedi's action against corruption) કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે તેમને સ્ટેમ્પ અને મહેસુલ વિભાગની અંદર ભ્રષ્ટાચાર થઈ રહી હોવાની ફરિયાદ મળી હતી, જેના કારણે તેઓ આ વાતની ખરાઈ કરવા અમદાવાદ પોલિટેકનિક કોલેજ આવી પહોંચ્યા (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) હતા. અહીં તેમણે સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન વિભાગની મુલાકાત લીધી હતી, જ્યાં ખોટી રીતે ટેબલ નાખી બેસેલા 2 શખ્સ લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા આવી રહ્યા છે. જોકે, મહેસુલ પ્રધાનની મુલાકાત દરમિયાન આ બંને શખ્સ ગાયબ હતા. ત્યારે મહેસુલ પ્રધાને અહીં કામ કરતા તમામ કર્મચારીઓની બદલીના આદેશ (Order of transfer of all employees) આપી દીધા છે.

તમામ કર્મચારીઓની બદલી થશે અને પગલાં લેવાશેઃ મહેસુલ પ્રધાન

કર્મચારી ન હોવા છતાં ટેબલ રાખીને બેસતા 2 શખ્સ ફરાર

મહેસુલ પ્રધાન અચાનક કચેરીએ આવી જતા તમામ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા. અહીં રાજુ પારેખ અને પંકજ શાહ નામના 2 શખ્સ અહીંના કર્મચારી ન હોવા છતાં ટેબલ રાખીને બેસતા હતા, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોવાની વાત સામે આવી છે. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) દરમિયાન અહીંના કર્મચારીઓએ પણ આ વાતની કબૂલાત કરી છે. જોકે, આ પહેલાં ગુજરાત હાઈકોર્ટના વકીલ દિપેન દવેએ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને તેની ફરિયાદ કરી હતી અને પૂરતા પૂરાવાઓ પણ ગેરકાયદેસર રીતે બેસી રહ્યા છે. તેના મહેસુલ પ્રધાનને સુપરત કર્યા હતા. આથી પ્રધાને સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીની રૂબરૂ મુલાકાત (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) લઈ તમામ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કામ કરતાં કર્મચારીઓની બદલી કરવાનો નિર્ણય લીધો (Order of transfer of all employees) છે.

અધિકારીની કચેરીમાં ખોટું થતું હોય એનું સ્ટીંગ ઓપરેશન કરો અને હિંમતથી મને ફરિયાદ આપોઃ મહેસુલ પ્રધાન

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નાગરિકો હિંમતથી આગળ આવે. દિપેન દવે કે, જેઓ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ (Dipen Dave, Senior Advocate, High Court) છે. તેમણે આખી આ વાત ઉજાગર કરી છે. આ અગાઉ એ મારી પાસે આવ્યા હતા અને આ માહિતી મને આપી હતી. તે દરમિયાન મેં કહ્યું હતું કે, અધિકારીની કચેરીમાં ખોટું થતું હોય એનું સ્ટીંગ ઓપરેશન કરો અને એની વિગત મેળવો અને હિંમતથી મને ફરિયાદ આપો. એમને આ વિગત મેળવી છે અને આજે જાત તપાસ માટે હું આવ્યો છું.

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ કચેરીની રૂબરૂ મુલાકાત લીધી
મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ કચેરીની રૂબરૂ મુલાકાત લીધી

આ પણ વાંચોઃ લાંચિયા કર્મચારીઓને મહેસુલ પ્રઘાન રાજેન્દ્ર ત્રિવેદીએ ખુલ્લી ચીમકી આપી...

બહારથી આવનારા લોકો પાસેથી પૈસા પડાવતા હતા

મહેસુલ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, હું અહીં ઓચિંતો આવ્યો હોવાથી કેટલાક કર્મચારીઓ આ વાત સ્વીકારી છે કે, પંકજ શાહ ખુરશી ટેબલ નાખીને બેસતો હતો. અધિકારીની પરવાનગી વગર બેસી શકે નહીં. બહારથી આવનારા કોઈ પણ અરજદારને, દસ્તાવેજ માટે આવનારને એમ લાગે કે અહીંના જ તેઓ કર્મચારી છે. અથવા તો અધિકારી છે એવી જ રીતે કોઈ રાજુ પારેખ કરીને એનું પણ એક બીજું ટેબલ હતું આજે બંને ગાયબ છે, પરંતુ બીજા કર્મચારી અધિકારીએ કબૂલાત કરી છે કે, આ અહીં બેસતા હતા અને કામ કરતા હતા.

પંકજ શાહ 7,000 દસ્તાવેજના લઇ અધિકારી સાથે સાંઠગાંઠ કરતો હતો

અધિકારી કઈ રીતે તેમને કામે રાખી શકે અને જ્યારે આક્ષેપ છે કે, તે અધિકારી પંકજ પહેલા 7,000 રૂપિયા દસ્તાવેજના માગતો હતો પછી એ અધિકારી સાથે જઈ અને તેમના ચેમ્બરમાં જઈને વાત કરીને આવે અને 4,000 રૂપિયા કહી આવતો. આ ધંધો કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જરા પણ ભ્રષ્ટાચાર (Corruption at Govt Office) ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી કર્મચારી પૂરેપૂરો પગાર લે છે એને ખોટું કરવાનો અધિકાર નથી.

આ પણ વાંચોઃ કચ્છમાં ટપ્પર ગામના ખેડૂતો જમીનનો હક મેળવવા 50 વર્ષથી કરી રહ્યા છે સંઘર્ષ, પૂર્વ વિપક્ષી નેતાએ ફરી મહેસુલ પ્રધાન સમક્ષ મૂકી માગ

બદલી કરાયેલા કર્મચારીઓ સહકાર નહીં આપે તો કાર્યવાહી થશેઃ મહેસુલ પ્રધાન

મહેસુલ પ્રધાને કહ્યું હતું કે, સાંજ સુધીમાં ઓફિસમાં સૂચના આપી છે કે, દરેકની બદલી થઈ જાય, માત્ર બદલી નહીં તેઓ કોપરેટ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. મીડિયાની રૂબરૂમાં કર્મચારીઓ-અધિકારીઓ કબૂલ કરી છે કે. અહીં વધારાના માણસો બેસતા હતા અને આ લોકોએ જે પૈસા લીધા હોય તો તમારી પાસે ગેરકાયદે રીતે ઇધ હોય તો આવીને વિભાગમાં જવાબ લખાવો જેથી કરીને એ વાતનો વધુ ખ્યાલ આવે. તેવું તેમને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.