ETV Bharat / city

રાજ્યમાં  24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં પોઝિટિવ કેસ, કેસોની સંખ્યમાં ધીમીગતિએ વધારો

author img

By

Published : Oct 1, 2021, 9:06 PM IST

રાજ્યમાં  24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં  24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા

છેલ્લા લાંબા સમયથી રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યાં છે ત્યારે છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા છે જ્યારે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત કર્યો છે.

  • છેલ્લા 24 કલાકમાં 16 કોરોનાના નોંધાયા
  • 16 દર્દીઓએ કોરોનાને માત આપી
  • રાજ્યમાં કોરોના પર લાગી લગામ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઑગસ્ટમાં કેસ ઘટ્યા અને કોરોના સંક્રમણ કાબૂમાં કરવા રાજ્ય સરકાર સફળ નિવડી હતી, ત્યારે ઑક્ટોબર માસની 1 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, બરોડા, અને સુરત અને રાજકોટમાં જ સિંગલ ડિઝીટમાં કેસ નોંધાયા, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4 જેવા કે ખેડા, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું. રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસ સિંગલ ડિઝીટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.

આજે 2,23,464 લોકોને આપવામાં આવી રસી
1 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 2,23,464 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 79,443 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 82,416 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો કે જે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,12,16,916 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150થી વધુ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 158 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 4 વેન્ટિલેટર પર અને 154 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,712 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.