ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં 5 કેસ

author img

By

Published : Sep 20, 2021, 9:50 PM IST

રાજ્યમાં 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોરોના કંટ્રોલમાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા 24 ક્લાકમાં દેશમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે જેમાંથી 5 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત કર્યો છે.

  • રાજ્યમાં કોરોના કેસમાં ધીમી ગતિ
  • છેલ્લા 24 કલાકમાં 14 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 17 દર્દીઓ કોરોનાને માત આપી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતા ત્યારે બાદ હવે જૂન,જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યાં હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી છે ત્યારે સપ્ટેમ્બર માસની 20 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, બરોડા અને સુરતમાં જ સિંગલ ડિજિટ માં કેસ નોંધાયા છે જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને અમદાવાદ કોર્પોરેશનમાં 5 અને જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત, બરોડા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝીટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા નથી અને 3 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 3,72,334 નાગરીકો વેકસીન અપાઈ
18 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,72,334 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે જ્યારે 18 વર્ષ થી વધુ વયના 1,21,827 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 1,44,721 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો કજે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 5,70,59,874 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 140 નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 133 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટિલેટર પર અને 129 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,522 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.