Vishwa Umiyadham Templeનું નિર્માણકાર્યનો કરાશે પ્રારંભ, CM પણ રહેશે હાજર

author img

By

Published : Nov 16, 2021, 10:56 PM IST

Vishwa Umiyadham Templeનું  નિર્માણકાર્યનો કરાશે પ્રારંભ, CM પણ રહેશે હાજર

વિશ્વના સૌથી ઊંચા(The tallest temple in the world) 504 ફૂટમાં(504 feet temple) ઉમિયાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ(Commencement of construction work of Umiyaji temple) 22 નવેમ્બર થશે. જેમાં શ્રી શતચંડી મહાયજ્ઞ, 31,000 દીવાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન પણ કરાયું(Addiction free bike rally organized) છે. તેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંતોમહંતો ઉપસ્થિત રહેશે.

  • 504 ફૂટમાં ઉમિયાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ
  • શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન પણ કરાયું
  • 31,000 દીવાઓનો ઝગમગતો દીપોત્સવ યોજાશે

અમદાવાદઃ ઉમિયાજીના મંદિરનું વિશ્વનાં(The tallest temple in the world) સૌથી ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન(Mahabhumi Pujan of the temple) 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ(Foundation stone) 29 ફેબ્રુઆરી 2020ના રોજ કરાયો હતો. હવે વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન(Planning of Mahayagna) કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 8.30 કલાકે થશે અને પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે.

31,000 દીવાઓનો ઝગમગતો દીપોત્સવ યોજાશે

જાસપુર ખાતે નિર્માણાધીન જગત જનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31,000 દીવાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દીપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દીપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો દિવાઓ પ્રગટાવશે.

ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યપ્રારંભ પ્રસંગે અમદાવાદ SG Highway સ્થિત SGVP ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં હાથી, ઘોડા અને ઉંટ સહિત અનેક માં ઉમિયાના ભક્તો જોડાશે. શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ અને કોરોના અને વેક્સિનેશન હશે.

શ્રીયંત્રનું મહાપૂજન

શ્રી શતચંડી મહાયજ્ઞની સાથે સાથે માં ઉમિયાના ભક્તો માટે સવારે 9.30 કલાકે શ્રી યંત્ર મહાપૂજનનું આયોજન કરાયું છે. જેમાં માં ઉમિયાના ભક્તો પૂજા અર્ચના કરી મંદિર નિર્માણનો કાર્યારંભ કરાવશે અને ગંગાના જળનો ઉપયોગ થાય એ હેતુથી ગંગાજળથી ભરેલાં 108 કળશનું મંદિર પરિસરમાં બપોરે 12.15 કલાકે પૂજન કરાશે. વિશેષરૂપે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરેલાં નિધિ કળશનું વિશ્વઉમિયાધામ મંદિરમાં મહાપૂજન કરાશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, શહેરના કુલ 14 સ્થળોએ દરોડા

આ પણ વાંચો : 'લાફિંગ થેરાપી' છે અઢળક બીમારીઓનો ઉપચાર, અનેક બીમારીઓથી અપાવે છે છૂટકારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.