ETV Bharat / city

ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત

author img

By

Published : Sep 17, 2020, 3:19 PM IST

ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત
ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત

ગાંધીનગર શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાયા બાદ શહેરમાં વસતાં નાગરિકોની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. ત્યારે શહેરની સુવિધામાં આજે વધુ એક મોરપીંછ ઉમેરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરને આવનારા દિવસોમાં 24 કલાક પાણી મળી રહે તે માટે 229 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં હાલમાં પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સમાવિષ્ટ કરાયેલાં ગામડાઓને પાણી માટે વલખા મારવા પડે છે. ઉનાળાની સિઝનમાં નાગરિકો ત્રાહિમામ પોકારી જાય છે. ત્યારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગર શહેરના સેક્ટર 9માં પાણી પુરવઠા બોર્ડની જગ્યામાં 24 કલાક પાણી મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત
ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગાંધીનગર શહેરના સાત લાખ જેટલા નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. 70 વર્ષમાં જે કામ કોંગ્રેસે કર્યું નથી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે જ્યારે અટકચાળાં કરનાર લોકોને સબક શીખવાડી ભારતનું ગૌરવ વધાર્યું છે. આજે ખાતમુહૂર્ત કરી રહ્યો છું, તેનાથી ગાંધીનગરના લોકોને 24 કલાક માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. લોકો પાણી બચાવી જીવન બચાવે તેવી આશા રાખું છું.
ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત
બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આપણે પાણીની સમસ્યાને ભૂતકાળ કરી દઈશું. દરિયાના ખારા પાણીને મીઠું કરવાની યોજના સાકાર કરવા જઈ રહ્યાં છે. જલ સે નલ યોજનાનું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરી રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં પાણીનો વાપરવા ઉપર મીટરનો ઉપયોગ થવાથી લોકો કરકસર કરે તેવી આશા રાખું છું. આ પ્રસંગે ગાંધીનગર શહેરના સેક્ટર 28 કોરોના વોરિયર્સ અને માસ્કને સેનિટાઈઝરની કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગાંધીનગરના મેયરનું જ તકતીમાં નામ હતું, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ધરાર અવગણના કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું હતું. અગાઉ પણ નામ માત્ર મેયરનું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રીટાબહેન પટેલ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આશિષભાઇ દવે સહિત ભાજપના પદાધિકારીઓને કોર્પોરેટર હાજર રહ્યાં હતાં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.