ETV Bharat / city

સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રા અમદાવાદની મુલાકાતે

author img

By

Published : Sep 7, 2019, 8:55 PM IST

Ahmedabad

અમદાવાદ: શહેરની GLS કોલેજ ખાતે સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રા વકીલોના વર્કશોપમાં 'Law of sedition in India and freedom of expression' વિષય પર પોતાનું વક્તવ્ય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં અમદાવાદ શહેરના નામાંકિત વકીલો પ્રેક્ટિસ વકીલો અને વકીલાતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જસ્ટીસ પી.ડી દેસાઈ મેમોરિયલ લેક્ચર કમિટી અને પ્રાલિન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકીલોના ખાસ વર્કશોપનું આયોજન ગુજરાત લો કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા અને 'Law of sedition in India and freedom of expression' આ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.

સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રા અમદાવાદની મુલાકાતે

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ, વકીલો, અમદાવાદ શહેરના નામાંકિત લોયર્સ અને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રેક્ટિસ કરતા વકીલો તથા વકીલાતનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિચારો અને તેમના અનુભવને તેમના શબ્દોમાં તેમની વાણીમાં વિસ્તારપૂર્વક સાંભળ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રાએ ભારતીય બંધારણના આ કાયદા વિશે દરેકને જ્ઞાન આપ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, ફ્રીડમ ઓફ એક્સપ્રેસન દરેક ભારતીયોનો અધિકાર છે, પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે અને જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં તકલીફો થાય છે. દેશમાં પોલીસો અને વકીલો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ભારતમાં ગુણવત્તામાં સુધારો જોવા મળશે. લોકોએ સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ અને ખાસ judicially પર પણ વિશ્વાસ કરવો જોઈએ.

ભારતના બંધારણમાં દરેકને સમાનતાનો અધિકાર છે અને તેનો દરેકે નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જેનાથી દેશના વિકાસમાં પ્રગતિ થાય સરકારમાં કોઈપણ પાર્ટી હોય નાગરિકો દ્વારા ચૂંટવામાં આવે છે. જેથી સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ અને બંધારણમાં પણ વિશ્વાસ દર્શાવવો જોઈએ.

Intro:અમદાવાદ- અમદાવાદની જીએલએસ કોલેજ ખાતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક ગુપ્તા વકીલોના વર્કશોપમાં law of sedition in India and freedom of expression વિષય પર પોતાનું વક્તવ્ય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં અમદાવાદ શહેરના નામાંકિત વકીલો પ્રેક્ટિસ વકીલો અને વકીલાતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


Body:justice પી ડી દેસાઈ મેમોરિયલ લેક્ચર કમિટી અને પ્રાલિન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકીલોના ખાસ વર્કશોપનું આયોજન ગુજરાત લો કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા અને law of sedition in India and freedom of expression આ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ વકીલો અમદાવાદ શહેરના નામાંકિત લોયર્સ અને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રેક્ટિસ કરતા વકીલો તથા વકીલાતનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિચારો અને તેમના અનુભવને તેમના શબ્દોમાં તેમની વાણીમાં વિસ્તારપૂર્વક સાંભળ્યા હતા

ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ દિપક મિશ્રાએ ભારતીય બંધારણના આ કાયદા વિશે દરેકને જ્ઞાન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ફ્રીડમ ઓફ એક્સપ્રેસન દરેક ભારતીયોનો અધિકાર છે પરંતુ કેટલાક લોકો આ નો દુરુપયોગ કરે છે અને જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં તકલીફો થાય છે દેશમાં પોલીસો અને વકીલો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ભારતમાં અલી ગુણવત્તામાં સુધારો જોવા મળશે લોકોએ સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ અને ખાસ judicially પર પણ વિશ્વાસ કરવો જોઈએ ભારતના બંધારણમાં દરેકને સમાનતાનો અધિકાર છે અને તેનો દરેકે નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેનાથી દેશ ના વિકાસ માં પ્રગતિ થાય સરકાર કોઈપણ પાર્ટી હોય નાગરિકો દ્વારા ચૂંટવામાં આવે છે જેથી સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ અને બંધારણમાં પણ વિશ્વાસ દર્શાવવું જોઈએ




Conclusion:ગુજરાત લો સોસાયટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ચીફ જસ્ટિસને સાંભળવા માટે ખુબ મોટી સંખ્યામાં વકીલાત સાથે જોડાયેલી વ્યક્તિઓ વકીલો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત ની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ધ્યાનપૂર્વક સાંભળી બંધારણના અધિકાર મુજબ ફ્રીડમ ઓફ એક્સપ્રેસન ની સમજ મેળવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.