આશ્રમની બંને સાધ્વીઓની પૂછપરછ કર્યા બાદ ગુરુવારે સાધ્વીઓને વધુ તપાસ માટે આશ્રમમાં લઈ જવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન બાળકો પોલીસને મહત્વની હકીકત જણાવે છે કે, કેમ સાથે સાથે અન્ય કેટલાક પુરાવા મળે છે તે તપાસનો વિષય રહેશે.
ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પુછપરછ માટે મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ રૂરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે બન્ને સંચાલિકાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.