માતાની મમતાંને લજવતી ધટના: અમદાવાદનાં અમરાઇવાડીમાં વધુ એક બાળકને ત્યજી દેવાયું

author img

By

Published : Oct 29, 2021, 7:37 PM IST

માતાની મમતાંને લજવતી ધટના: અમદાવાદનાં અમરાઇવાડીમાં વધુ એક બાળકને ત્યજી દેવાયું

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગરમાં પહેલા માળે કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ પહેલા પણ આવી જ એક નવજાત બાળકને તરછોડવાની ઘટના બની હતી. ત્યારે મહાલક્ષ્મીનગરમાં નવજાત મળ્યાની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ધટનાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળક મળ્યાનાં બનાવ બાદ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આ નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

  • મહાલક્ષ્મીનગરમાં પહેલા માળે અજાણી વ્યક્તિ નવજાત બાળકને મૂકીને જતું રહ્યું
  • અમદાવાદમાં શિશુંને ત્યજવાની વઘુ એક ઘટનાં સામે આવી
  • બાળકને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું

અમદાવાદ : અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલાં મહાલક્ષ્મીનગરનાં પહેલા માળે ગણપતિની પ્રતિમાં સામે એક માસૂમનાં બાળકનાં રડવાનો અવાજ આવી રહ્યો હતોન ત્યારે સ્થાનિક મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી. તેમણે આસપાસનાં લોકોને બોલાવ્યા અને આ ધટનાં અંગે માહીતગાર કર્યા હતાં. આ વાતની જાણ થતાં સ્થાનિક આગેવાન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

માતાની મમતાંને લજવતી ધટના: અમદાવાદનાં અમરાઇવાડીમાં વધુ એક બાળકને ત્યજી દેવાયું

પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી

પોલીસ અને 108 ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. હાલ બાળકને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે. જ્યારે પોલીસે બાળકને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી અને આસપાસના CCTV દ્વારા તપાસ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. ત્યારે હાલ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો : ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.