બહેનોની સ્વર્ગસ્થ માતાને કલાંજલિ, અમદાવાદમાં એક અઠવાડિયા સુધી યોજાશે તેમના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન

author img

By

Published : Oct 18, 2021, 10:45 AM IST

આણંદની 2 બહેનોએ એક વર્ષ પહેલા ગુમાવેલી માતાને કલાંજલિ અર્પણ કરી, અમદાવાદમાં એક અઠવાડિયા સુધી યોજાશે તેમની પેઈન્ટિંગનું એક્ઝિબિશન

મા તે મા બીજા વગડાના વા. લોકોના જીવનમાં માતાની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. કહેવાય છે કે, મા વિના સુનો સંસાર. આ જ રીતે આણંદની 2 બહેનોનો સંસાર પણ એક વર્ષ પહેલા માતાનું નિધન થતા સુનો થઈ ગયો હતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિનો સામનો કરી અને કપરા સમયમાંથી બહાર આવીને તેમણે પોતાની માતાને કલાંજલિ અર્પણ કરી છે. જી હાં, કલાંજલિ. એટલે કે એક યુવતીએ માતા અને બાળકના પ્રેમને દર્શાવતી પેઈન્ટિંગ કેનવાસ પર ઉતારી છે. જ્યારે તેની બહેને આ પેઈન્ટિંગને (Painting Exhibition) કાવ્યાત્મક સ્વરૂપ આપ્યું છે. અમદાવાદમાં રવિવારે આ બંને બહેનોની કલાનું એક્ઝિબિશન (Painting Exhibition) યોજાયું હતું, જેમાં કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર (Cabinet Minister Pradip Parmar) પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • આણંદની 2 યુવતીએ એક વર્ષ અગાઉ ગુમાવી હતી માતા
  • બંને યુવતીઓ પાસે કલાનો ખજાનો છે
  • એક દીકરીએ માતાની યાદમાં ચિત્ર દોર્યા તો બીજી દીકરીએ કવિતાનું પુસ્તક લખ્યું
  • અમદાવાદના રવિશંકર રાવળ કલાભવનમાં બંને મહિલાનું પેઈન્ટિંગ એક્ઝિબિશન યોજાયું
  • એક અઠવાડિયા સુધી યોજાયેલા એક્ઝિબિશનનો કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે કરાવ્યો પ્રારંભ

અમદાવાદઃ શહેરમાં રવિવારે આણંદની 2 યુવતીની (Anand Sisters) પેઈન્ટિંગ કલાનું એક્ઝિબિશન (Painting Exhibition) યોજાયું હતું, જેમાં કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર (Cabinet Minister Pradip Parmar) ઉપસ્થિત રહ્યા હતા. આ બંને યુવતીઓએ એક વર્ષ પહેલા લાંબી બીમારી પછી પોતાની માતા ગુમાવી હતી. ત્યારબાદ બંને બહેનો 9 મહિના સુધી આઘાતમાં હતી. જોકે, આ બંને કલાકાર બહેનોએ પોતાની કલાથી પોતાની માતાને કલાંજલિ અર્પણ કરી છે, જેમાંથી એક બહેન માતા અને બાળકના વાત્સલ્ય દર્શાવતી પેઈન્ટિંગ્સ બનાવે છે. તો બીજી બહેન આ પેઈન્ટિંગ્સને કાવ્યાત્મક સ્વરૂપ આપે છે. ત્યારે અમદાવાદમાં પણ આ બંને બહેનોની કલાનું પ્રદર્શન કરવા એક્ઝિબિશન યોજાયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

બહેનોની સ્વર્ગસ્થ માતાને કલાંજલિ, અમદાવાદમાં એક અઠવાડિયા સુધી યોજાશે તેમના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન

આ પણ વાંચો- પાટણથી દેવભૂમિ દ્વારકા બસ સેવાનો પ્રારંભ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

બંને મહિલાઓએ પોતાની કળાથી માતાને અમર કરી

કહેવાય છે કે, કલા એક એવું માધ્યમ છે કે, જ્યાં કલાકાર તેની કલાકૃતિ થકી સદૈવ માટે અમર બની જાય છે. આવું જ એક સપનું સાકાર કરવા આણંદની 2 બહેનોએ જેમણે વર્ષ 2020માં પોતાની માતા છત્રછાયા ગુમાવી હતી. તેમણે પોતાની માતાને અનોખી રીતે શ્રદ્ધાંજલી પાઠવી છે.

એક દીકરીએ માતાની યાદમાં ચિત્ર દોર્યા તો બીજી દીકરીએ કવિતાનું પુસ્તક લખ્યું
એક દીકરીએ માતાની યાદમાં ચિત્ર દોર્યા તો બીજી દીકરીએ કવિતાનું પુસ્તક લખ્યું

આ પણ વાંચો- આજથી થયો ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન

કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે પ્રદર્શનીનું કર્યું ઉદ્ઘાટન

આણંદની 2 કલાકાર બહેનો રંજનબેન અને રાધાબેને પોતાની માતાને ચિત્રો અને કવિતામાં અમર બનાવી દેવા સતત એક વર્ષની સાધના કરી છે. તે બંને કળાની અભ્યાસુ છે. તેમને એક અસાધ્ય રોગમાં પોતાની માતાને ગુમાવી હતી. તો અમદાવાદમાં રવિશંકર રાવળ કલાભવન ખાતે તેમના ચિત્ર પ્રદર્શનનું આયોજન યોજાયું છે, જે એક અઠવાડિયા સુધી ચાલશે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમ જ કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે કર્યું હતું. તેમના હસ્તે 'ફિર વો હી મા મિલે' આ પુસ્તકનું વિમોચન પણ થયું હતું.

રાધાના પુસ્તકનું હાર્દઃ

મર કે ભી માઁ કો જિંદા રખા મૈને,

કાગજ પે કવિતા કા રૂપ દિયા મૈંને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.