ETV Bharat / city

Mosquito Disease in Ahmedabad: મચ્છરજન્ય રોગથી બચવા આટલું કરો, AMCએ કરી અપીલ

author img

By

Published : Jul 28, 2022, 9:00 AM IST

Mosquito Disease in Ahmedabad: મચ્છરજન્ય રોગથી બચવા આટલું કરો, AMCએ કરી અપીલ
Mosquito Disease in Ahmedabad: મચ્છરજન્ય રોગથી બચવા આટલું કરો, AMCએ કરી અપીલ

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છર જન્ય (Mosquito Disease in Ahmedabad) રોગને અટકાવવા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મચ્છરનો નાશ કરવા અમદાવાદ કોર્પોરેશન (AMC Pre Monsoon Operations) દ્વારા આ વર્ષે પણ દવાનો છંટકાવ કરવા ધરવામાં આવ્યો છે.

અમદાવાદ : શહેરમાં વરસાદી વાતાવરણના કારણે અનેક જગ્યા પર (Mosquito Disease in Ahmedabad) વરસાદના પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે પ્રિવેન્ટીવ પ્લાન એક્શન (Preventive Plan Action) મૂકવામાં આવ્યો છે. શહેરમાં સિઝનનો અત્યાર સુધી સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ કોર્પોરેશનની કામગીરી (AMC Pre Monsoon Operations) લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. શહેરમાં અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાવાના કેસો સામે આવ્યા હતા. જેના કારણે મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. તેમજ જે તે જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં પણ આવ્યો હતો.

કેવી રીતે કામ કરશે પ્રિવેન્ટીવ એક્શન પ્લાન - શહેરના 7 ઝોનમાં આવેલા 37 તળાવોમાં મચ્છરો ઉપદ્રવ ટાળવા માટે તરતો કચરો, ઘાસ થત બિનજરૂરી વેજિટેશન દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતતા માટે 5 લાખથી વધુ પત્રિકાનનું વિતરણ પણ સામે આવ્યું છે. જે પણ લોકોને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તરત તેના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 8 હજાર લીટર મોસકિટો લાવિ સાઈડ ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે. મચ્છર ખાતી માછલી એટલે કે પોરાભક્ષક માછલીઓ (Case Disease in Ahmedabad) શહેરના 150 જેટલા સ્થળો પર મુકવામાં આવી છે.

આ પણ વાંચો : Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ

પાણીજન્ય કેસમાં વધારો - શહેરમાં પાણીજન્ય કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં ઝાડ ઉલ્ટીના 615 કેસ, કમળાના 193 કેસ,ટાઈફોઈડના 1645 કેસ,જ્યારે કોલેરાના 2 કેસ વટવામાં નોંધાયા છે. જ્યારે બીજી બાજુ મચ્છરજન્ય કેસમાં સાદા મેલેરિયાના 46 કેસ,ઝેરી મેલેરિયા 02 કેસ,ડેન્ગ્યુના 21 કેસ ચિકનગુનિયા 08 કેસ નોંધાયા (Disease Rate in Monsoon in Ahmedabad) છે.અત્યાર સુધી 46,893 લોહીના સેમ્પલ અને 1903 સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

ફૂલદાની કુંડા પાણી વારંવાર બદલવું જરૂરી - કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ઘરની અગાસી પર કે તાળ પતરી પર વરસાદી પાણી એકત્રિત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેમજ ફૂલદાનીમાં જે પાણી ભરાયેલું છે. તેને વારંવાર બદલવું ખૂબ જ જરૂરી છે. કોર્પોરેશન દ્વારા પણ દરેક ઝોનમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાણીમાં નાખવા માટે ક્લોરીનની ગોળીઓનું પણ સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.